ચૂંટણી આયોગે કેન્દ્રીય પ્રધાન અને ભાજપના નેતા મેનકા ગાંધી અને સપા નેતા આઝમ ખાનના ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ લગાવી દીધો છે. મેનકા ગાંધી પર સાંપ્રદાયિક ટિપ્પણી કરવા પર જ્યારે આઝમ ખાને જયા પ્રદા વિરુધ્ધ અભદ્ર વાણીના ઉપયોગ કરવાનો આરોપ લગાવામાં આવ્યો હતો.
આચાર સંહિતાનું ઉલ્લંઘનને લઇને ચૂંટણી આયોગનું કડક વલણ જોવા મળી રહ્યું છે. ચૂંટણી આયોગે કેન્દ્રીય પ્રધાન અને ભાજપના નેતા મેનકા ગાંધી અને સપા નેતા આઝમ ખાનના ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ લગાવી દીધો છે. મેનકા ગાંધી પર સાંપ્રદાયિક ટિપ્પણી કરવા પર જ્યારે આઝમ ખાને જયા પ્રદા વિરુધ્ધ અભદ્ર વાણીના ઉપયોગ કરવાનો આરોપ લગાવામાં આવ્યો હતો.
ચૂંટણી આયોગે કડક કાર્યવાહી કરતા સપાના નેતા આઝમ ખાનના ચૂંટણી પ્રચાર પર 72 કલાકની રોક લગાવી દીધી છે. આ પ્રતિબંધ આજરોજ સવારથી લાગુ ગણાશે. જ્યારે મેનકા ગાંધી પર ચૂંટણી પ્રચાર કરવા પર 48 કલાકનો પ્રતિબંધ લગાવામાં આવ્યો છે. ભાજપના મંત્રી મેનકા ગાંધી આ વખતે સુલતાનપુર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે.
મેનકા ગાંધી પર સુલતાનપુરમાં એક રેલી દરમિયાન મુસ્લિમ મતદાતાઓને કહ્યું હતું કે જો ઓછા મત પડશે તો તેની અસર કામ પર જોવા મળશે. આમ બંને નેતાઓના નિવેદનનો મામલામાં રિપોર્ટ ચૂંટણી આયોગને મોકલવામાં આવી હતી. આ બંનેના નિવેદન પર ખૂબ હંગામો જોવા મળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ ચૂંટણી આયોગે કડક નિર્ણય લેતાં યૂપીના સીએમ યોગી આદિત્યનાથ તેમજ બસપાના પ્રમુખ માયાવતી પર ચૂંટણી પ્રચારનો પ્રતિબંધ લગાવ્યો હતો. જેમાં યોગી આદિત્યનાથ પર 72 કલાક જ્યારે માયાવતી પર 48 કલાક ચૂંટણી પ્રચારનો પ્રતિબંધ લગાવ્યો હતો.