સપાના નેતા આઝામ ખાન રામપુરમાં એક રેલી દરમિયાન ભાવુક થયા હતા. રેલીને સંબોધન કરતા તેઓની આંખોમાંથી આંસુ પણ છલકાઈ આવ્યા. તેઓએ આરોપ લગાવતા કહ્યું કે, તંત્ર તેમના પરિચિતો અને સમર્થકો પર અત્યાચાર કરી રહ્યું છે.
સપાના નેતા આઝામ ખાન રામપુરમાં એક રેલી દરમિયાન ભાવુક થયા હતા. રેલીને સંબોધન કરતા તેઓની આંખોમાંથી આંસુ પણ છલકાઈ આવ્યા. તેઓએ આરોપ લગાવતા કહ્યું કે, તંત્ર તેમના પરિચિતો અને સમર્થકો પર અત્યાચાર કરી રહ્યું છે.
મારી સાથે એવું વર્તન કરવામાં આવી રહ્યું છે કે જાણે હું કોઈ દેશદ્રોહી કે આતંકી હોવ. જો તેઓનું ચાલે તો મને ખુલ્લેઆમ ગોળી મારી દે.ચૂંટણી પહેલા ચૂંટણી પંચે મારા પર ત્રણ દિવસનો પ્રતિબંધ લગાવ્યો.
I am being treated as an anti-national and a terrorist: Azam Khan
જેથી હું ક્યાંય જઈ ના શકું અને કોઈને મળી ના શકું. કે પછી કોઈ પણ પ્રકારની રેલી ના કરી શકું અને સંબોધન પણ ના કરી શકું. રામપુરને એક છાવણીમાં ફેરવી દેવાયું. આ કેવા પ્રકારનું લોકતંત્ર છે.
મને ચાહનારા અને મારા ઝંડા લહેરાવતા લોકોના ઘરોના તાળા તોડવામાં આવ્યા અને તેમના પરિવારોની મહિલાઓ સાથે ગેરવર્તણૂક કરવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે, આઝમ ખાને રામપુરમાં એક રેલીને સંબોધન કરતા જયા પ્રદા પર વિવાદિત ટિપ્પણી કરી હતી.