લોકસભાનું ત્રણ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે, જ્યારે હજુ ચાર તબક્કાનું બાકી છે. જ્યારે એક બાદ એક નેતાઓ પર આચાર સંહિતા ભંગની ફરીયાદ નોંધાઇ રહી છે. ત્યારે સપાના નેતા અને રામપુરથી ગઠબંધનના ઉમેદવાર આઝમ ખાન પર આચાર સંહિતા ભંગનો વધુ એક મામલો દાખલ થયો છે. જોઇએ સમગ્ર અહેવાલ.
વાત એવી છે કે જિલ્લામાં ડોક્ટર ભીમરાવ આંબેડર જયંતિ નિમિત્તે એક સમારોહ યોજાયો હતો. જેમાં આઝમ ખાને વોટિંગ માટે તંત્રને જવાબદાર ગણાવી. આઝમ ખાને કહ્યું કે, અહીં જિલ્લા તંત્ર દ્વારા લોકોને વોટિંગ નહીં કરવા માટે ધમકી આપવામાં આવી હતી.
સમગ્ર ભારતમાં એકલું રામપુર જ એક એવું બદનસીબ શહેર છે કે જ્યાં એક વર્ગના લોકોને વોટિંગ નહીં કરવા માટે કહેર વરસાવવામાં આવ્યા. દુકાનો તોડવામાં આવી અને તેમનો સામાન પણ લૂંટી લેવાયો.
તો આ નિવેદનને ઈલેક્શન કમિશને ધ્યાને લીધી અને આચાર સંહિતા ભંગનો મામલો દાખલ કર્યો છે. આઝમ ખાને તંત્ર પર ઓછા વોટિંગનો આરોપ અને માલસામન લૂંટવાનો તથા મારપીટનો પણ આરોપ લગાવ્યો છે.