કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ શુક્રવારે કહ્યું હતું કે ગુલામ નબી આઝાદના પાર્ટીમાંથી રાજીનામાથી તેમને આશ્ચર્ય થયું નથી.
કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી કર્યો કટાક્ષ
ગુલામ નબી આઝાદનું પાર્ટીમાંથી રાજીનામું
વડા પ્રધાનએ સંસદમાં આઝાદ માટે આંસુ વહાવ્યા
કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ શુક્રવારે કહ્યું હતું કે ગુલામ નબી આઝાદના પાર્ટીમાંથી રાજીનામાથી તેમને આશ્ચર્ય થયું નથી કારણ કે તે સ્પષ્ટ છે કે જ્યારે "વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં તેમના માટે આંસુ વહાવ્યા" ત્યારે તેઓ "મૂંઝવણમાં" ફસાયા હતા.
અમને જરા પણ આશ્ચર્ય નથી લાગ્યું
ચૌધરી લોકસભાના પબ્લિક એકાઉન્ટ કમિટી ના અધ્યક્ષ પણ છે. શુક્રવારે બસ્તર ક્ષેત્રની મુલાકાત લીધા બાદ તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે, "મને જરા પણ આશ્ચર્ય થયું નથી. હું તેમના નિવાસસ્થાનની સામે (દિલ્હીમાં) રહું છું. દિલ્હીમાં મોદીજીની સરકાર આવી ત્યારથી સરકારી આવાસની સુવિધા પૂર્વ મંત્રીઓ કે પૂર્વ સાંસદો પાસેથી લેવામાં આવે છે. પરંતુ, આશ્ચર્યની વાત એ છે કે ગુલામ નબી આઝાદને ક્યારેય તેમનું નિવાસસ્થાન (દિલ્હીમાં) ખાલી કરવું પડ્યું ન હતું, "
વડાપ્રધાન આઝાદ માટે રડ્યા
ચૌધરી દાવો કર્યો "શું કોઈએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દેશમાં કોરોનાવાયરસને કારણે 50 લાખ લોકોના મોત પર દુ:ખ વ્યક્ત કરતા જોયા છે? પરંતુ રાજ્યસભામાં (વડા પ્રધાન) આઝાદનો કાર્યકાળ પૂરો થયો ત્યારે (ગયા વર્ષે ફેબ્રુઆરીમાં) તેઓ રડ્યા હતા. તે જ દિવસ, આખી વાર્તા અમને સમજાઈ ગઈ હતી. હું સમજી ગયો અને તે સ્પષ્ટ થઈ ગયું કે તે (આઝાદ) મોદીજીના ચક્કરમાં પડી ગયા છે. "
કોંગ્રેસે તેમને શું નથી આપ્યું
વધુમાં તેમણે કહ્યું "અમે (કોંગ્રેસ) હંમેશાં દરેકને રાજ્યસભાના સભ્ય બનાવી શકતા નથી. જો તેમને (આઝાદને) રાજ્યસભાના સભ્ય બનાવવામાં આવ્યા હોત, તો તેઓ સંમત થયા હોત (પક્ષમાં રહેવા માટે). જ્યારે તેમને (સાંસદનું પદ) ન મળ્યું, ત્યારે તેઓ ગુસ્સે થઈ ગયા. ગુલામજીનો ગુસ્સો પાર્ટી છોડવાના ઇરાદામાં ફેરવાઈ ગયો." આગળ જણાવ્યું કે, "દરેક જણ જાણે છે કે કયા પક્ષે તેમને આટલા મોટા નેતા બનાવ્યા. તેમની પ્રગતિ પાછળ કોંગ્રેસનો હાથ હતો. કોંગ્રેસે તેમને શું ન આપ્યું?.. તેમને જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી અને સંસદમાં વિપક્ષના નેતા બનાવવામાં આવ્યા હતા. કોંગ્રેસની દરેક પેઢીએ તેમને કોઈને કોઈ હોદ્દા પર બેઠેલા જોયા છે.