દૂરદર્શન પર રામાયણને ફરી ટેલિકાસ્ટ કરવામાં આવી રહ્યુ છે, ત્યારે આ શોથી જોડાયેલી કેટલીક વાતોની ચર્ચા સતત ચાલી રહી છે. હવે આ ચર્ચા વચ્ચે બોલિવુડ એક્ટર આયુષ્માન ખુરાનાની સાસુએ પણ રામાયણમાં કામ કર્યુ હોવાની વાત સામે આવી રહી છે.
જી હા, ચર્ચા અનુસાર, આયુષ્માનની પત્ની તાહિરા કશ્યપની માતા એ રામાયણમાં ત્રિજટાનો રોલ કર્યો હતો અને સોશ્યલ મીડિયા પર આ ચર્ચા ખૂબ જ ચાલી રહી છે. જોકે આ અફવાહો પર તાહિરા કશ્યપે પૂર્ણવિરામ લગાવી દીધુ છે.
There's no truth to these reports of my mother, Mrs Anita Kashyap starring in the Ramayan show. All these reports are false. She was an educationist and has no connection with this show, whatsoever."
તાહિરાએ આ તમામ વાતો ફગાવી દેતા સ્પષ્ટતા કરી છે કે, તેના મમ્મી ક્યારેય કોઇ સીરિયલમાં ભાગ નહોતા. તાહિરાએ પોતાના સોશ્યલ મીડિયા પર એક સ્ટેટમેન્ટ આપતા સ્પષ્ટતા કરી છે. તાહિરાએ લખ્યુ કે, ''મારી મમ્મી શ્રીમતી અનિતા કશ્યપ રામાયણ સીરિયલનો ભાગ હતી તેવા અહેવાલોમાં કોઇ સચ્યતા નથી. આ તમામ અહેવાલો ખોટા છે. મારી મમ્મી શિક્ષણવિદ્ હતી અને તેનું આ સાથે જ કોઇ કનેક્શન નથી.''
ઉલ્લેખનીય છે કે, રામાયણમાં સીતાના મુદ્દે પાત્ર ભજવતા એક્ટ્રેસ દીપિકા ચિખલિયાએ પણ જણાવ્યુ કે, ''હું તેમની સાથે વધારે વાતચીત કરતી ન હતી. પરંતુ ચોક્કસથી કહીશ કે તેઓ સુરતથી આવ્યા હતા. તેઓ એક્ટ્રેસ ના હતા એક સામાન્ય મહિલા જ હતી. તેમને કોઇ સંતાન ન હતુ પરંતુ રામાયણ સીરિયલ પછી તેમની દિકરી જન્મી હતી. તેઓ કહેતા હતા કે, મેં રામાયણમાં કામ કર્યુ હતુ એટલે મારા ઘરે દિકરી જન્મી છે. આ વાતની ચર્ચા શોના સેટ પર પણ થતી હતી.'' દીપિકા ચિખલિયાએ ફિલ્મ બાલામાં આયુષ્માન ખુરાનાની સાસુ અને એક્ટ્રેસ યામી ગૌતમની મમ્મીનો રોલ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે , દૂરદર્શન પર બીજીવાર પ્રસારિત થતી સિરિયલ ‘રામાયણ’એ ટીઆરપીના તમામ રેકોર્ડ તોડીને ટોપ પોઝીશન મેળવી છે. વર્ષ 2020ના 14મા અઠવાડિયે દૂરદર્શન પર આવતી ‘રામાયણ’એ ટોચનું સ્થાન મેળવ્યું છે. આટલું જ નહીં દૂરદર્શનની વ્યૂઅરશિપમાં પણ 40 કરોડનો વધારો થયો છે.