રાજકોટમાં આયુષમાન કાર્ડ કૌભાંડ મામલે કેમ્પના આયોજક સહિત તમામ લોકો સામે ફરિયાદ નોંધાઇ છે. ધીરેન શાહ, વિજય માધાણી અને ઓપરેટર સહિત 7 લોકો સામે ફરિયાદ નોંધાઇ છે.
રાજકોટમાં આયુષમાન કાર્ડમાં કૌભાંડ મામલો
કેમ્પના આયોજક સહિત તમામ લોકો સામે ફરિયાદ
પોલીસે ધીરેન શાહ સહિત 7 લોકોની કરી અટકાયત
પોલીસે કુલ 7 લોકોની અટકાયત કરી છે. જ્યારે ફરાર આરોપી કિશોર ગાંધીને પકડવા શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં આયુષમાન કાર્ડનું મસમોટું કૌભાંડ સામે આવ્યું હતું.
રાજકોટમાં આયુષ્માન કાર્ડનું મોટું કૌભાંડ સામે આવ્યું હતું. જેના પગલે તંત્રની પોલ ખુલી હતી. એક દરોડા દરમિયાન આ કૌભાંડ બહાર આવ્યું હતું. જેમાં લાલબહાદુર શાસ્ત્રી સ્કુલમાં એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં આયુષ્યમાન કાર્ડ બનાવી આપવામાં આવતા હતા.જેની પાસે બીપીએલ કાર્ડ હોય તેમની પાસેથી 30 રૂપિયા અને ન હોય તેવા લોકો પાસેથી એકનાં 700 રૂપિયા લીધા હતાં.
700 રુ.માં આયુષ્માન કાર્ડ બનાવી આપતાં હતાં
રાજકોટમાં આયુષમાન કાર્ડનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. આરોગ્ય ચેરમેન જયમીન ઠાકર અને કલેક્ટરે સદર બજાર વિસ્તારમાં દરોડા પાડી અને મોટું કૌભાંડ ઝડપ્યું હતું. બોગસ કાર્ડ બનાવી લોકોને છેતરવામાં આવતા હતા. એક કાર્ડ દીઠ 700 રૂપિયા લેતા હતાં. અત્યાર સુધી હજારો કાર્ડ નકલી આયુષમાન કાર્ડ કાઢવામાં આવ્યા છે.
આ આખા મામલાની જાણ આરોગ્ય વિભાગનાં ચેરમેને તંત્રને જાણ કરીને ઘટના સ્થળે જઇને દરોડા પાડ્યાં હતાં. જેમાં ખુલ્યું છે કે અત્યાર સુધી હજારો કાર્ડ નકલી આયુષમાન કાર્ડ કાઢવામાં આવ્યાં છે.
આ કૌભાંડની કોઇને જાણ જ ન હતી?
બોગસ આયુષ્માન કાર્ડની ફરિયાદ મળી હોવાને લીધે કલેક્ટરે તથા આરોગ્ય ચેરમેને દરોડા પાડી આ કૌભાંડનો પર્દાફાર્શ કર્યો હતો. ત્યારે તંત્ર સામે અનેક સવાલો થાય છે કે કેટલાં સમયથી ચાલતું હતું આ આયુષમાન કાર્ડનું કૌભાંડ?, કેટલાં ગરીબોનાં પૈસા લૂંટ્યા છે?, હજુ સુધી કેટલાં બોગસ આયુષમાન કાર્ડ નીકળ્યા છે?,
કાર્ડ કાઢવાની સામગ્ર આ લોકો પાસે ક્યાંથી આવી? તથા સદર બજારમાં ધમધમતા આ કૌભાંડની કોઇને જાણ જ ન હતી? આ તમામ સવાલો તંત્રના ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. ત્યારે સવાલ એ છે કે આમાં સંડોવાયેલા અધિકારીઓ સામે પગલા ભરાશે કે પછી તેઓ અજાણ હતાં તેમ કહી છાવરવામાં આવશે.