સુરતમાં જન આરોગ્ય યોજનામાં અબજો રૂપિયાના કૌભાંડ થયાની આશંકા છે. ત્યારે જન આરોગ્ય યોજનામાં કૌભાંડ થવાની આશંકાને લઇ કેન્દ્ર સરકારે સુરતમાં તપાસના આદેશ આપ્યા છે. જેને લઇને સ્મીમેર હોસ્પિટલને તપાસ સોંપવામાં આવી છે.
જન આરોગ્ય યોજનામાં કૌભાંડની આશંકા
યોજના હેઠળ હોસ્પિટલોના ખર્ચમાં ગોલમાલની આશંકા
દર્દીઓને છેતરી કેન્દ્ર સરકાર સાથે તિકડમબાજીની આશંકા
કેન્દ્ર સરકાર દ્વારા સુરત શહેરમાં જન આરોગ્ય યોજનામાં અબજો રૂપિયાના કૌભંડાની આશંકાને લઇને તપાસના આદેશ સોંપ્યા છે. સરકાર દ્વારા સ્મીમેર હોસ્પિટલને તપાસ સોંપવામાં આપી છે.
જન આરોગ્ય યોજના હેઠળ હોસ્પિટલોના ખર્ચમાં ગોલમાલની આશંકા છે. દર્દીઓને છેતરી અને કેન્દ્ર સરકાર સાથે તિકડમબાજી કર્યાની શક્યતા છે.
જો તપાસ થાય તો કરોડોની ગેરરીતિ સામે આવે તેવી શક્યતા છે. હેલ્થ કોસ્ટિંગ પ્રોજેક્ટના સર્વે બાદ સરકારને સમગ્ર રિપોર્ટ કરવામાં આવશે.