પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ઉચ્ચ અને મધ્યમ વર્ગને લાભ હેઠળ લેવામાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય એજન્સીએ નારાજગી વ્યક્ત કરી છે. NHA એ રાજ્ય સરકારોના માધ્યમથી તમામ જિલ્લાધિકારીઓ અને કલેક્ટરને આદેશ આપ્યા છે કે માત્ર ગરીબ લોકોના નામ આ લિસ્ટમાં સામેલ કરો. જો કોઇ એવા લાભાર્થીનું નામ સામેલ જણાયું જે આર્થિક રીતે સશક્ત છે તો કડક કાર્યવાહી થશે.
આ પગલું ત્યારે ભરવામાં આવ્યું છે જ્યારે એવી માહિતી મળી હતી કે યોગ્ય લાભાર્થીની યાદીમાં કેટલાક એવા લોકોને પણ સામેલ કરવામાં આવ્યા છે જે સામાજિક આર્થિક અને જાતિગત જનગણનાના આંકડાઓથી વંચિત શ્રેણીમાં આવતા નથી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 23 સપ્ટેમ્બરે ઝારખંડથી આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો શુભારંભ કર્યો હતો. આ યોજનાનો હેતુ દર વર્ષે પ્રતિ પરિવાર પાંચ લાખ રૂપિયાનો વીમા આપવાનો છે.
આ લોકોને લાભ મળશે નહીં
જે ઘરોમાં મોટરથી ચાલતા 2 3 અથવા 4 પૈડાના વાહન છે માછલી પકડવાની નાવ યાંત્રિક ત્રણ ચાર પૈડા વાળા વાહન. ખેતીના ઉપકરણ 50 000થી વધારે જમારાશિની સીમા સાથે કિસાન ક્રેડિટ કાર્ડ છે અને જે પરિવારમાં કોઇ સભ્ય સરકારી કર્મચારી હોય તો એ એસઇસીસી 2011 અનુસાર પોતાની જાતે જ બહાર થઇ જશે.
પરિપત્ર પ્રમાણે જે ઘરમાં કોઇ સભ્યની કમાણી પ્રતિ માહ 10 000 રૂપિયાથી વધારે હોય એ ટેક્સ આપે છે પાકી દિવાસો તથા છતની સાથે 2 3 રૂમ છે ફ્રીઝ છે એક લેન્ડલાઇન ફઓન છે એ લાભાર્થી યાદીની બહાર થઇ જશે.