10 કરોડ ગરીબ પરિવારોને વાર્ષિક 5 લાખ રૂપિયાનો મફતમાં હેલ્થ ઇન્શ્યોરન્સ આપનારી યોજના આયુષ્માન ભારત (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના)ને લોન્ચ થયાને 50 દિવસ થઇ ચૂક્યા છે. 25 સપ્ટેમ્બર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેની શરૂઆત ઝારખંડ (રાંચી)થી કરી હતી. આવો જાણીએ પહેલા 50 દિવસોમાં કઇ રીતે બિમાર લોકોને તેનો ફાયદો મળ્યો...
યોજના હેઠળ આ લોકોને સરકાર કાર્ડ મોકલી રહી છે જેમનું નામ લાભાર્થીની યાદીમાં છે. અત્યાર સુધી કુલ 500000 લોકોને ઇન્શ્યોરન્સ કાર્ડનું લેટર મોકલી દેવામાં આવ્યો છે.
આયુષ્માન યોજના હેઠળ કુલ 50 દિવસમાં 200000 લોકોએ મફતમાં સારવાર કરાવી. સૂત્રોનુસાર દેશભરમાં 17 અબજ રૂપિયાના દાવા સરકારને મળી ચૂક્યા છે જેમાં વિભિન્ન રાજ્યોના 3 અબજ રૂપિયાના દાવા મંજૂર કરવામાં આવ્યા છે. સરકારી સૂત્રોનુસાર સારવાર માટે સૌથી વધારે મહારાષ્ટ્ર પ્રશ્ચિમ બંગાળ ગુજરાત તમિલનાડુ ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢ જેવા રાજ્યોમાંથી આવી રહ્યા છે.
સરકાર આ યોજના હેઠળ 10 કરોડ પરિવારોને લગભગ 50 કરોડ લોકોને 5 લાખ રૂપિયાનો મફતમાં હેલ્શ ઇન્શ્યોરન્સ આપવાનો લક્ષ્ય રાખ્યો છે.
કેટલો થશે ખર્ચ?
ખર્ચના મામલામાં દુનિયાની સૌથી મોટી સ્વાસ્થ્ય વીમા યોજના છે. આગામી વિત્ત વર્ષ 2019-20માં કુલ 120 કરોડ રૂપિયા ખર્ચનો અનુમાન છે. આ વિત્ત વર્ષ 2018-19 માં 60 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. જેમાં 60% યોગદાન કેન્દ્ર અને બાકી રાજ્યની સરકારોનું હશે.
તમને મળી શકશે લાભ?
વેબસાઇટ mera.pmjay.gov.in પર જઇને અથવા હેલ્પલાઇન (14555) પર કૉલ કરીને તમને જાણી શકો છો કે આ યોજનાનો લાભ મળશે કે નહી.
આ વ્યકિત બનશે હકદાર:
સામાજિક-આર્થિક જાતિ જનગણના ( (SECC) 2011ના આંકડાનો ઇુયોગ કરતા હકદાર પરિવારનો યાદી બનાવવામાં આવી છે. SECCના આકંડાના હિસાબ ગ્રામીણ વિસ્તારોની વસ્તીમાં D1 D2 D3 D4 D5 અને D7 કેટેગરી બનાવવા માટે આયુષ્માન ભારત યોજના (ABY)માં શામેલ છે. શહેરી વિસ્તારોમાં 11 પૂર્વ નિર્ધારિત નોકરીના હિસાબથી લોકોને શામેલ કરવામાં આવ્યા છે.