સરકારે હવે આ યોજનામાં એક મોટો ફેરફાર કર્યો છે. હવે આ યોજનાની મર્યાદાને વધારવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
દેશના ગરીબોને થશે ફાયદો
આયુષ્માન ભારતમાં આ સર્વિસનો થશે ઉમેરો
જાણો મોદી સરકારે શું કર્યા ફેરફાર
દેશમાં સરકાર ગરીબ અને કમજોર આર્થિક વર્ગ માટે અલગ અલગ પ્રકારની સરકારી યોજનાઓ લઈને આવે છે. તેમની યોજનાઓમાં એક યોજના છે આયુષ્માન ભારત નેશનલ પબ્લિક હેલ્થ ઈન્શ્યોરન્સ સ્કીમ. આ દેશની સૌથી મોટી સરકારી હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસી છે જેના દ્વારા લોકોને 5 લાખ સુધીની હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસીની મદદ આપવામાં આવે છે. આ વીમા પોલિસી દ્વારા ઘણા પ્રકારની બીમારીઓની સારવારમાં ઈન્શ્યોરન્સની સુવિધા મળે છે.
રાજ્યોને મળી આ છૂટ
સરકારે આ યોજનામાં એક મોટો ફેરફાર કર્યો છે. હવે આ યોજનાની મર્યાદાને વધારે વધારવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ વ્યાપને વધારીને સરકાર તેને દરેક રાજ્યમાં લાગુ કરવા માંગે છે. આ યોજનામાં કાર્ડધારક હવે મેડિકલ પ્રોસીઝરના ઓપ્શનની પણ પસંદગી કરી શકશે જે પહેલા હેલ્થ પેકેજનો પાર્ટ હતો.
સરકારે આયુષ્માન ભારત સ્કીમમાં આ ફેરફાર દ્વારા લોકો માટે આ સ્કીમને વધારે ફાયદાકાક બનાવી દીધી છે. હવે રાજ્યની ગવર્નિંગ પેનલ સ્કીમ સાથે જોડાયેલા નિર્ણય લઈ શકશે. તેની સાથે જ રાજ્ય પોતાની જરૂરીયાતના આધાર પર આ યોજનામાં અનસ્પેસિફાઈડ સર્જિકલ પેકેજને પણ બુક કરી શકશે.
તમને જણાવી દઈએ કે આ યોજનામાં રાજ્ય હેલ્થ બેનિફિટ પેકેજની કિંમતોને પોતે નક્કી કરી શકશે. તેની સાથે જ તે પોતાની અનસ્પેસિફાઈડ સર્જીકલ પેકેજમાં કઈ સુવિધાઓને રાખવી છે તેની પસંદગી હવે રાજ્ય કરી શકશે. આયુષ્માન ભારત યોજના હેઠળ કોઈ પણ પ્રકારની હેલ્થ સંબંધી સમસ્યા થવા પર તમે કોઈ પણ હોસ્પિટલમાં સારવાર કરાવી શકો છો. તેમાં ઓપીડી અને સર્જરી શામેલ છે. ત્યાર બાદ સરકાર બીમારીમાં 5 લાખ સુધીનો ખર્ચ ઉઠાવે છે. આ સ્કીમને નેશનલ હેલ્થ ઓથોરિટીની અંદર રાખવામાં આવી છે.