કોરોનાની બીજી અને ઘાતક લહેરમાં આયુષ મંત્રાલયે લોકોને કોરોનાથી બચવા માટે અને ઈમ્યુનિટીને સ્ટ્રોન્ગ કરવા માટે કેટલાક ખાસ અને સરળ ઉપાયો જણાવ્યા છે. તમે પણ જાણો અને અપનાવો.
કોરોનાની બીજી લહેર બની રહી છે ઘાતક
આયુષ મંત્રાલયે આપ્યા કોરોનાથી બચવાના સરળ ઉપાયો
ફટાફટ અપનાવી લો આ ઉપાયો
કોરોનાની બીજી લહેરમાં લાખો લોકો કોરોનાના સંક્રમણનો શિકાર બની રહ્યા છે અને અનેક લોકોના મોત થઈ રહ્યા છે ત્યારે સંક્રમણથી બચવું ખૂબ જ જરૂરી છે. આ માટે તમારી ઇમ્યુનિટીને મજબૂત કરવાની જરૂર છે જેથી તમે વાયરસથી સંક્રમિત થવાથી બચો અને સાથે જ કોરોના સંક્રમિત થાઓ તો પણ મોટા નુકસાનમાંથી બચી શકો અને ઝડપથી રિકવરી મેળવી શકો.
ઈમ્યુનિટી વધારવા માટે આયુષ મંત્રાલયે આપ્યા ખાસ સૂચન
લોકોને કોરોના વાયરસથી બચાવવા અને તેમની ઇમ્યુનિટીને સ્ટ્રોન્ગ બનાવવા માટે આયુષ મંત્રાલયે સરળ ઉપાયો આપ્યા છે. આયુર્વેદની રીત પર આધારિત આ ઉપાયો નેચરલ છે અને તેની કોઈ સાઈડ ઈફેક્ટ પણ નથી.
આ રીતે કરો શરીરને મજબૂત કરવાની તૈયારી
સપ્લીમેન્ટનું સેવન કરવાના બદલે તમે નેચરલ રીતે શરીરને ઈમ્યુનિટીથી મજબૂત બનાવી શકો છો. તમે રોજ ચ્યવનપ્રાશ ખાઓ, દિવસમાં 1-2 વાર હળદરવાળું દૂધ પીઓ અને સાથે તુલસી, તજ, કાળા મરી, આદુ અને મુનક્કાની ચા પીઓ. 1-2 વાર ઉકાળો પીઓ. આ આયુર્વેદિક રીતે શરીરને મજબૂત બનાવવામાં મદદ મળી શકે છે.
રોજ પીઓ ગરમ પાણી
હાલના સમયમાં કોરોના વાયરસનો કહેર ચાલી રહ્યો છો તો ઠંડુ પાણી પીવાનું અને ઠંડી ચીજો ખાવાનું ટાળો. તેનાથી તમારું ગળું ખરાબ થઈ શકે અને શરદી અને ખાંસીની ફરિયાદ રહે છે. આના બદલે ગરમ પાણી વધારે વખત પીઓ. સાથે ગરમ પાણીમાં ચપટી મીઠું અને હળદરને મિક્સ કરીને કોગળા કરો તે પણ જરૂરી છે.
ઘરનું બનેલું ખાવાનું ખાઓ
હાલના સમયમાં સંક્રમણ વધારે ખતરનાક બની રહ્યું છે. શક્ય હોય તો ઘરે બનાવેલી ચીજો ખાઓ. બહારથી ખાવાનું ઓર્ડર કરવાથી બચો. ઘરના ભોજનમાં હળદર, જીરું, લસણ અને આદુ તથા કોથમીરનો વધારે ઉપયોગ કરો. આ નેચરલ ચીજોથી શરીરની ઇમ્યુનિટીને મજબૂત બનાવી શકાય છે.
યોગથી ભાગશે રોગ દૂર
આયુષ મંત્રાલયની સાથે અનેક હેલ્થ એક્સપર્ટ્સ એમ પણ કહે છે કે આ સમયે જ્યારે તમે ઘરમાં બંધ રહો છો તો કોઈ એક્ટિવિટી થઈ રહી નથી તો તમે ઘરમાં યોગ કરો અને સાથે ઇમ્યુનિટીને મજબૂત કરી શકો છો. રોગ તમારી પાસે નહીં આવે. યોગ, પ્રાણાયામ, અનુલોમ વિલોમ, ડીપ બ્રિધિંગ એક્સરસાઈઝની ચીજો પણ મદદ કરી શકે છે.
આ ઉપાયો પણ છે કારગર
- દિવસમાં 1-2 વાર નાસ લો. તમે ઈચ્છો તો સાદા પાણીથી પણ સ્ટીમ લઈ શકો છો. તેમાં ફૂદીનાના પાન કે અજમો મિક્સ કરી શકો છો.
- જો ખાંસી કે ગળામાં ખરાશની સમસ્યા છે તો લવિંગ, મુલેઠીના પાવડરને મધ સાથે મિક્સ કરીને દિવસમાં 2-3 વાર લો. વધારે તકલીફ હોય તો ડોક્ટરનો સંપર્ક કરો.
- ઓઈલ પુલિંગની ટેકનીક પણ લાભ આપે છે. તેમાં 1 ચમચી તલ કે નારિયેળ તેલ મોઢામાં રાખો. 2-3 મિનિટ સુધી તેને મોઢામાં ફેરવો અને થૂકી દો. તેલને ગળામાં ન ઉતારશો. આ રીતે કોગળા કર્યા બાદ ગરમ પાણીથી કોગળા કરો.