કોરોના પોઝિટિવ / આયુષ મંત્રી પણ થયા કોરોના પોઝિટિવ, લોકોને કરી આ અપીલ

ayush minister shripad naik test positive asymptomatic and isolated at home

કેન્દ્રીય આયુષ મંત્રી અને રક્ષા રાજ્ય મંત્રી શ્રીપદ નાઈક બુધવારે કોરોનાગ્રસ્ત આવ્યા હતા. નાઈકે ટ્વીટ કરીને આ વિશ જાણકારી આપી હતી. નાઈકે જણાવ્યું હતું કે તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં તે કોરોનાગ્રસ્ત આવ્યા છે. તેમને કોરોનાના લક્ષણો નથી અને તે હોમ આઈસોલેશનમાં છે. નાઈકે હાલમાં જ તેમના સંપર્કમાં આવેલા લોકોને તકેદારી રાખી કોરોના ટેસ્ટ કરાવવા અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે નાઈકએ મોદી સરકારના 5માં મંત્રી છે જે કોરોના પોઝિટીવ આવ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ