મધ્ય પ્રદેશના ખરગૌન જિલ્લાના બડવાહ નગરના રહેવાસી આયુષ કુંડલ પોતાના પગથી ચિત્રો દોરે છે. પ્રધાનમંત્રીને મળ્યા બાદ તેની કલાના દેશભરમાં વખાણ થઇ રહ્યા છે, તે સેલીબ્રીટી બની ગયો છે
કોણ છે આયુષ કુંડલ?
સેલિબ્રિટી બની ગયો દિવ્યાંગ યુવક
આયુષ પોતાની કલાથી અમિતાભ બચ્ચનને પણ પોતાનો ફેન બનાવી ચુક્યો છે
કોણ છે આયુષ કુંડલ?
મધ્યપ્રદેશના તે લાલ જેના માટે આજે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તથા ભારતના પ્રધાનમંત્રીએ સ્વયં ટ્વીટ કરી મળવાની ખુશી જ ન વ્યક્ત કરી પરંતુ જાહેર રૂપથી ટ્વિટર પર ફોલો કરવાની પણ જાહેરાત કરી દીધી. મધ્ય પ્રદેશના ખરગૌન જિલ્લાના બડવાહ નગરના રહેવાસી આયુષ કુંડલ ઈશ્વરની અનુપમ કૃતિ છે. જન્મથી શારીરિક રૂપથી દિવ્યાંગ આયુષનો જુસ્સો હંમેશા ઉચો રહ્યો અને ઉત્સાહનો આધાર બન્યા તેમના માતા.
આયુષ કુંડલ માત્ર 25 વર્ષનો છે પરંતુ તેના સપના આકાશને આંબનારા છે અને આજે તેના સપનાને ઉડાન ખુદ પ્રધાનમંત્રીએ આપી. આયુષના માતાએ હંમેશા તેને પ્રોત્સાહિત કર્યો. બાળપણથી તમામ પ્રયાસો બાદ પણ શારીરિક રૂપથી આશા ગુમાવી ચુકેલા આયુષની અભ્યાસ કરવાની જિજ્ઞાસા જોઈને તેમના માતા સરોજ કુંડલે નજીકની મૂક-બધિર વિદ્યાલયમાં તેનું એડમિશન કરાવ્યું હતું.
સેલિબ્રિટી બની ગયો દિવ્યાંગ યુવક
ગુરૂવારે દેશના પ્રધાનમંત્રીએ જ્યારે બપોરે 1 કલાક 34 મિનિટ પર એક દિવ્યાંગ બાળક, જે પોતાના પગથી કલા કંડારે છે તેની પ્રશંસા કરતા તેની સાથે ટ્વિટર પર તેનું ચિત્ર શેર કર્યુ તો પછીની જ ક્ષણે તે ભારતનો સેલીબ્રીટી બની ગયો. થોડા સમયમાં લોકો માટે આયુષ કુંડલ નામ ચર્ચાનો વિષય બની ગયું. આયુષ કુંડલને ટ્વિટર પર પહેલાં તો બોલીવુડના મહાનાયક બિગ બીએ ફોલો કરવાનું શરૂ કર્યુ હતું અને આજથી પ્રધાનમંત્રી મોદી પણ તેના ફેન બની ગયા.
आज @aayush_kundal से मिलना मेरे लिए एक अविस्मरणीय क्षण बन गया। आयुष ने जिस प्रकार पेंटिंग में महारत हासिल की और अपनी भावनाओं को पैर की उंगलियों से आकार दिया, वो हर किसी को प्रेरित करने वाला है। अनवरत प्रेरणा मिलती रहे, इसलिए मैं उन्हें ट्विटर पर फॉलो कर रहा हूं। pic.twitter.com/hHskGAFQXW
आप सभी से आग्रह करता हूं कि आप @aayush_kundal की पेंटिंग को जरूर देखें। आयुष ने अपनी पेंटिंग के लिए एक यूट्यूब चैनल भी बनाया है, जिसमें उनकी जिंदगी के अलग-अलग रंग समाहित हैं। उनके चैनल का लिंक है https://t.co/8NSZ90UUCT
ખાસ હતી 35 મિનિટની મુલાકાત
જ્યારે આયુષ મોદીજીને મળ્યા પહોંચ્યો તો તેમણે આયુષના હાલચાલ જાણ્યા હતા. તેમણે એક-એક કરી આયુષે બનાવેલી પેન્ટિંગ જોઈ. અભિનંદન આપ્યા અને આયુષે બનાવેલું સ્વામી વિવેકાનંદનું ચિત્ર પીએમ મોદીને ભેટ આપ્યું હતું. પીએમ મોદીજીએ પૂછ્યુ કે આગળ શું કરવું છે. આયુષે કહ્યુ ખુદનું ઘર બનાવવું છે. પીએમ મોદીએ કહ્યુ કે, મને ખુદનો નક્શો બનાવીને આપી દે, હું તને ઘર બનાવી આપુ છું.
આયુષ પોતાની કલાથી અમિતાભ બચ્ચનને પણ પોતાનો ફેન બનાવી ચુક્યો છે
आज देश के महानायक श्री अमिताभ बच्चन जी ने मुझे आशीर्वाद दिया है मैं मेरे प्रिय @SrBachchan सर जी का आभारी करता हूँ
मैं भगवान से ये ही प्राथना करूँगा कि ABसर जी की #Jhund की फिल्म सुपर से सुपर हिट हो जाए pic.twitter.com/ZMKtjnHkXY
— Aayush Kundal Divyang EF (@aayush_kundal) March 4, 2022
આયુષ પોતાના પગથી સુંદર ચિત્રો દોરે છે. કલામાં વિશેષ રૂચિ રાખનાર આયુષ પોતાની કલાથી અમિતાભ બચ્ચનને પણ ફેન બનાવી ચુક્યો છે, પરંતુ દોઢ વર્ષ પહેલા કુંડલ પરિવારમાં મોટો આઘાત ત્યારે લાગ્યો જ્યારે તેના પિતા આ દુનિયામાં ન રહ્યા. આજે જ્યારે અમે તેમના માતા સાથે વાત કરી રહ્યા હતા તો તે જણાવતા તેમની આંખમાં આંસુ આવી ગયા કે આયુષના પિતાની ખુબ ઈચ્છા હતી કે તે પોતાના બાળકનું સપનું પૂરુ થતા જુએ.
આયુષે ટ્વિટર પર લખ્યુ કે મારૂ એક સપનું પૂરુ થઈ ગયું બચ્ચન જીને મળવાનું. મારૂ બીજુ સપનું હતું મોદીજીને મળવાનું તે પણ આજે પૂરુ થઈ ગયું છે.