કોરોના મહામારી દરમ્યાન ગિલોય અને ગુડુચીનો સારો ઉપયોગ કરવામાં આવ્યો છે. દેશમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ઉપયોગમાં લેવામાં આવેલા ઘણા ઉત્પાદનોમાંથી ગિલોયને સૌથી શ્રેષ્ઠ ઔષધિ માનવામાં આવી છે. જો કે, હાલમાં મીડિયામાં આવેલા કેટલાંક અહેવાલોમાં એક વખત ફરીથી ગિલોય લીવરની ખરાબીની સાથે જોડવામાં આવ્યુ છે.
કોરોના મહામારી દરમ્યાન ગિલોયનો ભરપૂર કરાયો ઉપયોગ
રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ગિલોય સૌથી શ્રેષ્ઠ ઔષધિ
આયુષની સ્પષ્ટતા, ગિલોયનો શરીર પર ઝેરી પ્રભાવ રહેતો નથી
ગિલોય સુરક્ષિત ઔષધિ: આયુષ મંત્રાલયની સ્પષ્ટતા
જો કે, હવે આયુષ મંત્રાલયે એક વખત ફરી જણાવ્યું છે કે ગિલોય (ટિનોસ્પોરા કૉર્ડિફોલિયા) સુરક્ષિત ઔષધિ છે અને તૈયાર આંકડા મુજબ તેનો શરીર પર કોઈ ઝેરી પ્રભાવ રહેતો નથી. મંત્રાલય તરફથી આપવામાં આવેલી માહિતીમાં જણાવાયું છે કે આયુર્વેદમાં ગિલોયને એક સૌથી સારી કાયાકલ્પ કરનારી જડી-બુટી કહેવામાં આવી છે. ગિલોયના જલીય અર્કનું તિવ્ર ઝેર અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે તેનાથી શરીર પર કોઈ ઝેરી અસર થતી નથી. જો કે, કોઈ પણ દવાની સુરક્ષા આ વાત પર નિર્ભર કરે છે કે તે દવાનો કેવીરીતે ઉપયોગ કરવામાં આવે.
દવાના આદર્શ ડોઝને ચાલુ રાખવો જોઈએ
દવાનો ડોઝ મુખ્ય પરિબળ છે, જેનાથી તે વિશેષ દવાની સુરક્ષાનું નિર્ધારણ થાય છે. હાલમાં કરવામાં આવેલા એક અભ્યાસ મુજબ, ફળની માખીઓ (ડ્રોસોફિલા મેલાનોગાસ્ટર)ના જીવનકાળને વધારવામાં ગુડુચી પાઉડરની ઓછી સાંદ્રતા મદદરૂપ થઇ છે. આ સાથે ગુડુચી પાઉડરની વધુ સાંદ્રતાના ઉપયોગથી માખીઓના જીવનકાળમાં ધીરે-ધીરે ઘટાડો થયો છે. આ સ્પષ્ટ રીતે દર્શાવે છે કે ઈચ્છા મુજબ પ્રભાવ પ્રાપ્ત કરવા માટે દવાના આદર્શ ડોઝને ચાલુ રાખવો જોઈએ. જેના પરથી આ નિષ્કર્ષ નિકળે છે કે ઔષધિય જડી-બુટીઓનું યોગ્ય ચિકિત્સક દ્વારા નક્કી કરેલી યોગ્ય ડોઝના રૂપમાં ઉપયોગ કરવો જોઈએ ત્યારે તેનો યોગ્ય ઔષધિય પ્રભાવ પ્રાપ્ત કરી શકાય છે.
કોવિડ-19માં ખૂબ કરાયો છે ઉપયોગ
વિવિધ મેટાબોલિક વિકૃતિઓના ઉપચારમાં તેના સ્વાસ્થ્ય લાભો અને રોગપ્રતિકારક શક્તિ બૂસ્ટર રૂપે તેની ક્ષમતા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. આ પારંપરિક ચિકિત્સા પ્રણાલીઓમાં પોતાના વ્યાપક તબીબી પ્રયોગો માટે એક ખૂબ જ લોકપ્રિય જડી-બુટી છે અને તેનો કોવિડ-19ને અટકાવવામાં ખૂબ ઉપયોગ કરવામાં આવ્યો છે. આરોગ્યના સમગ્ર લાભને ધ્યાનમાં રાખીને આ જડી-બુટી ઝેરી ના હોવાનો દાવો કરી શકાય છે.