Ayush 64 એક પોલી હર્બલ દવા છે. જેને કોરોનાના લક્ષણ વિનાના, સામાન્ય અને વધારે સંક્રમણના દર્દીને માટે ઉપયોગમાં લેવામાં આવે છે. હવે સરકાર તેને 2 ડોક્યુમેન્ટ સાથે ફ્રીમાં આપશે.
Ayush 64 એક પોલી હર્બલ દવા
Ayush 64ને ફ્રીમાં વહેંચશે સરકાર
બસ આ 2 ડોક્યુમેન્ટની રહેશે જરૂર
કોરોનાની બીજી લહેરની વચ્ચે કેન્દ્ર સરકારની તરફથી ખાસ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ઓક્સીજનથી લઈને દવાની ખામી ન રહે, તેને લઈને સ્વાસ્થ્ય રેલ, નાણામંત્રાલય વિદેશ સહિતના અનેક મંત્રાલય મળીને કામ કરી રહ્યા છે. આ સમયે આયુષ મંત્રાલયની તરફથી પણ જેને કોરોનાના લક્ષણ વિનાના, સામાન્ય અને વધારે સંક્રમણના દર્દીને માટે ઉપયોગમાં લેવામાં આવે છે. હવે સરકાર તેને 2 ડોક્યુમેન્ટ સાથે ફ્રીમાં આપશે.
ગયા શનિવારથી ફ્રીમાં દવાનું વિતરણ કરાયું છે શરૂ
એક રિપોર્ટ અનુસાર કોરોના દર્દીની સેવા માટે આયુષ મંત્રાલયે ગયા શનિવારથી દિલ્હીના અનેક સ્થાન પર આયુષ -64નું નિઃશુલ્ક વિતરણ શરૂ કર્યું છે. સોમવારથી આ ફ્રી વિતરણના અનેક નવા કેન્દ્રો ચાલુ કરાશે. હોમ આઈસોલેશન કે કેટલાક સરકારી કે બિન સરકારી સંગઠન દ્વારા વ્યવસ્થિત આઈસોલેશન સેન્ટરમાં રહેતા કોરોનાના દર્દીઓ આયુષ મંત્રાલયની આ પહેલનો લાભ લઈ શકે છે.
કયા આધારે ફ્રીમાં મેળવી શકાશે દવા
દર્દી કે તેના સગા આયુષ -64ની દવાનું એક ફ્રી પેકેટ મેળવી શકે છે. આ માટે દર્દીનો આરટીપીસીઆર પોઝિટિવ રિપોર્ટ અને તેની સાથે તેનું આધાર કાર્ડ બતાવવાનું રહેશે. આ પછી નક્કી કેન્દ્રો પરથી તમને ફ્રીમાં દવા મળી રહેશે. દવાની ગોળી ખતમ થાય અને જરૂરી હોય તો ફરીથી ફ્રીમાં દવા મેળવી શકાશે.
Ayush 64 એક પોલી હર્બલ દવા
Ayush 64 એક પોલી હર્બલ દવા છે જેને કોરોનાના લક્ષણ વિનાના, સામાન્ય અને વધારે સંક્રમણના દર્દીને માટે ઉપયોગમાં લેવામાં આવે છે. Ayush 64ને આયુર્વેદ અને યોગ પર આધારિત રાષ્ટ્રિય નૈદાનિક પ્રબંધન પ્રોટોકોલમાં કારગર ગણાવાઈ છે. તેને આઈસીએમઆરે પણ સર્ટિફાઈડ કરી છે. આ દવાને હોમ આઈસોલેશનમાં રહેનારા લોકો માટે કારગર માનવામાં આવે છે.
આ 7 કેન્દ્રો પર ફ્રીમાં મળશે દવા
ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યૂટ ઓફ આયુર્વેદ, સરિતા વિહાર પર સવારે 9.30થી બપોરે 1.00 સુધી
મોરારજી દેસાઈ રાષ્ટ્રીય યોગ સંસ્થા, અશોક રોડ, સવારે 8.30થી બપોરે 4.30 સુધી
રીજનલ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ ઓફ યૂનાની મેડિસિન, અબૂલ ફઝલ એન્કલેવ પાર્ટ 1, જામિયાનગર સવારે 9થી સાંજે 5 સુધી
સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ત ઈન યોગ અને નેચુરોપેથી, જનકપુર સવારે 9થી 12 સુધી
બુધવારથી અહીં પણ મળશે આ દવા
રોહિણી સેક્ટર 19માં સીસીઆરવાઈએનનો પ્રાકૃતિક ચિકિત્સા હોસ્પિટલમાં પણ બુધવારથી આયુષ 64નું વિતરણ કરાશે. અહીં સવારે 9થી બપોરે 12 સુધી દવા મળશે. આ સાથે આયુષ ભવનના બી બ્લોક, જીપીઓ કોમ્પલેક્સના રિસેપ્શન પર પણ એક કાઉન્ટર ચાલુ થશે.