કોરોનાની મહામારી સામે લડવા માટે અનેક દેશો દ્વારા અનેક પ્રયાસો કરાઈ રહ્યા છે. ભારતમાં પણ અનેક દવાઓ અને ટેક્નીકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે ભારત સરકારે તેમાં આયુર્વેદનો ઉપયોગ કરવાની દિવસામાં આગળ વધી છે. ભારત સરકારે આયુર્વેદિક સારવારને કોરોનાની સારવારમાં સમાવિષ્ટ કરી છે.
કોરોનાની સારવારમાં આયુર્વેદિક સારવારને સમાવાઈ
ગુજરાતમાં 3 આયુર્વેદિક દવાનું કરાયું સંશોધન
દર્દીઓ પર કરવામાં આવ્યું હતું સફળ ટ્રાયલ
રાષ્ટ્રીય ક્લિનિકલ મેનેજમેન્ટ પ્રોટોકોલમાં દવાનો થશે સમાવેશ
કોરોનાની મહામારીમાં હવે આર્યુવેદિક સારવારને પણ ભારત સરકાર દ્વારા સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે ગુજરાત માટે પણ ગર્વની વાત સાબિત થઈ રહી છે. કોરોનાકાળ દરમિયાન ગુજરાતમાં આર્યુવેદીક ત્રણ જેટલી દવાઓનું સંશોધન કરવામાં આવ્યુ હતુ અને દર્દીઓ પર સફળ ટ્રાયલ પણ કરાવમાં આવ્યુ હતુ.
Commendable effort, which places emphasis on building immunity, remaining healthy and making the fight against COVID-19 stronger. https://t.co/PpUCtqOz6Z
આ સફળતા બાદ રાષ્ટ્રીય કિલિનિક મેનેજમેન્ટ પ્રોટોકોલમાં આ દાવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ દવાઓ વિશે વાત કરતા સેન્ટ્રલ કાઉન્સીલ ઓફ ઈન્ડિયા મેડિસિનના પ્રૂવ મેમ્બર કમલેશ રાજગોરે કહ્યું કે હવે આર્યુવેદીક પણ કોરોનામાં મહત્વનો ભાગ ભજવશે.