જો તમે પણ સ્મોકિંગ કરો છો તો તો તમારા માટે તંબાકુ અને તંબાકુથી બનેલી પ્રોડક્ટ્સ તમારા શરીર માટે ઝેરી સાબિત થઇ શકે છે.
રિસર્ચ અનુસાર, 1 સિગરેટ પીવાથી જિંદગીની 11 મિનિટ ઓછી થઇ જાય છે. આ જ કારણે તંબાકુના સેવનના કારણે દુનિયામાં દર 6 સેકન્ડમાં 1ની મૃત્યુ થાય છે. લાંબા સમય સુધી તંબાકુના સેવન શરીરને નબળું બનાવી દે છે, આ સિવાય શરીરમાં વા, પિત્ત અને કફ વધારી દે છે. આજ કારણે કેન્સર, હૃદયથી જોડાયેલી બિમારી, અનિદ્રા, હાઇ બ્લડપ્રેશર, અલ્સર વગેરે જેવી ઘણી બિમારીઓ થાય છે. ભારતમાં મોઢા અને ગળાના કેન્સરનું પ્રમુખ કારણ પણ આ આદત છે. વાસ્તવમાં આ ધીમું ઝેર છે જે ધીમે-ધીમે વ્યકિતને મૃત્યુની તરફ ધકલે છે.
WHOના આંકડા મુજબ દુનિયામાં 1 અબજથી વધુ લોકો સ્મોકિંગ કરે છે અને આ લતને કારણે દર વર્ષે 70 લાખ લોકોનો ભોગ લે છે. તમાકુમાં રહેલા નિકોટિનને કારણે તેનું વ્યસન લાગી જાય છે અને જલ્દી છૂટતુ નથી. પરંતુ કોશિશ કરવામાં આવે તો સિગરેટ છોડી શકાય છે. ભારતમાં જ 10 કરોડ જેટલા ધ્રૂમપાન કરનારાઓ છે. તમને જાણીને નવાઈ લાગશે કે આખી દુનિયાના 12 ટકા સ્મોકર્સ ભારતમાં રહે છે. દેશમાં દર વર્ષે 13.5 લોકો ધ્રૂમપાન કારણે જીવ ગુમાવે છે. સિગરેટમાં 400 ટોકિસન્સ હોય છે અને 69 એવા તત્વો હોય છે. જે કેન્સરનું કારણ બની શકે છે.
જો તમને પણ વ્યસન છે તો આ આર્યુવેદિક ઉપચાર તમને મદદ કરશે અને તમે હેલ્ધી લાઇફ જીવી શકશો...
- આદુમાં સલ્ફર હોય છે. આથી તેને ચાવવાથી તમને લત છોડાવવામાં મદદ મળશે. આદુનો નાનો ટુકડો લીંબુના રસમાં બોળો. તેમાં મરી ઉમેરી બરણીમાં સ્ટોર કરો. જ્યારેય સ્મોક કરવાની ઇચ્છા થાય, તમાકુની જગ્યાએ આદુનો ટુકડો ચાવો.
- જો તમને તમાકુની તલપ લાગી હોય તો થોડા દાણા અજમાના લઈ ચાવો. નિયમિત આમ કરવાથી તમને આ લત છૂટી જશે..
- જટામાંસી, કેમોમાઈલ અને બ્રાહ્મીને સરખા પ્રમાણમાં મિક્સ કરી બરણીમાં સ્ટોર કરો. એક કપ ગરમ પાણીમાં એક ચમચી પાવડર નાંખો અને ધીમે ધીમે પીઓ. આનાથી સ્મોકિંગ ઇચ્છા ઘટી જશે.
- જિનસેંગ એક એવી ઔષધિ છે જે તલપ ઓછી કરી દે છે અને તમે જ્યારે સ્મોકિંગ છોડો ત્યારે ચીડિયાપણુ, મૂડ સ્વિંગ્સ સહિત જે માનસિક તથા શારીરિક લક્ષણો જોવા મળે તેમા રાહત મળે છે. જિનસેંગમાં તમે સ્મોક કરો ત્યારે શરીરને ખુશી આપતા ડોપામાઈન ન્યૂરોટ્રાન્સમિટરને કંટ્રોલ કરવાની ક્ષમતા રહેલી હોય છે.
- ત્રિફળા તમારા શરીરમાંથી ટોક્સિન દૂર કરે છે અને તમાકુ માટેની તલપ ઓછી કરે છે. તમે રોજ રાત્રે હૂંફાળા પાણી સાથે 1 ચમચી ત્રિફળા લઈ શકો, તેનાથી પાચન પણ સુધરશે.
- તમાકુનું ક્રેવિંગ થાય ત્યારે કંઈક હેલ્ધી ચાવી લો. તમે આદુના સૂકા ટુકડા, અનાનસ, ચ્યુઈંગ ગમ ચાવશો તો ક્રેવિંગ ઘટી જશે.