ભારતમાં 40% લોકો છે ક્રોનિક કિડની રોગનો શિકાર. જાણો તેના લક્ષણો તથા ઈલાજ
આજે છે વર્લ્ડ કિડની ડે
ભારતમાં 40% લોકો છે આ બીમારીનો શિકાર
આયુર્વેદમાં છુપાયેલો છે ઈલાજ
આજે છે વર્લ્ડ કિડની ડે
અમેરિકામાં લગભગ 15% લોકો કિડનીની બીમારીથી ઝઝૂમી રહ્યા છે. સીડીસી અનુસાર, દુનિયાભરમાં દર 10માંથી 9માં માણસને આ ક્રોનિક કિડની રોગ થાય છે. આ ઠીક કરાવવા માટે આયુર્વેદિક દવાઓ કામ આવી શકે છે. આ વાત દુનિયાભરનાં વૈજ્ઞાનિકોએ માની છે.
ભારતમાં 40% લોકો છે આ બીમારીનો શિકાર
10 માર્ચ 2022નાં રોજ વર્લ્ડ કિડની ડે છે. આ વર્ષની થીમ છે કિડની હેલ્થ ફોર ઓલ. સીડીસી અનુસાર, અમેરિકામાં 15 ટકા લોકો કિડનીની બીમારીઓ સાથે લડી રહ્યા છે. જયારે દુનિયાભરમાં દર 10માંથી 9માં વ્યક્તિમાં આ રોગ જોવા મળે છે. ભારતમાં ડાયાબિટીસ તથા હાઈ બ્લડપ્રેશરહતી પીડિત લગભગ 40% લોકો ક્રોનિક કિડની રોગથી ઝઝૂમી રહ્યા છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આયુર્વેદમાં જણાવવામાં આવેલ હર્બલ પદાર્થો એટલે કે જડી બૂટીઓના ઉપયોગથી તમે પોતાની કિડની સલામત રાખી શકો છો. આટલું જ નહી, જે લોકોને ડાયાલિસીસ કરાવવાની જરૂર હોય છે, તેમને પણ ઘણી રાહત મળે છે.
The CDC estimates that 15% of U.S. adults have chronic kidney disease. There are several physical signs of kidney disease, but our panel includes kidney function testing, so issues are identified sooner rather than later. Let’s get you started: https://t.co/t12AXCYFXQpic.twitter.com/gr8WQqaKKD
બનારસ હિંદુ વિશ્વ વિદ્યાલયના આયુર્વેદ વિભાગનાં ડીન તથા પ્રોફેસર કેએન દ્વિવેદીએ જણાવ્યું કે પુનર્નવા, ગોક્ષુર, વરુણ, ગુડુચિ, કાસની, તુલસી, અશ્વગંધા તથા આમળા જેવી ઔષધિઓ લેવાથી કિડની સારી રહે છે. કિડનીથી જોડાયેલ બીમારીઓ ઓછી થાય છે. જો કોઈ તકલીફ પહેલાથી છે, તો તે ઠીક થવા લાગે છે. આ ઔષધિઓને મેળવીને બનાવવામાં આવે છે નીરી-કેએફટી. જેની અસર સ્પષ્ટ જોવા મળી છે. આ વિષે દુનિયાનાં પાંચ મોટા મેડિકલ રિસર્ચ જર્નલમાં રિપોર્ટ પર પ્રકાશિત થયા છે.
પાંચ સાઈન્સ જર્નલ
સાઈન્સ ડાયરેક્ટ
ગૂગલ સ્કોલર
એલ્સ વિયર
પબમેડ
સ્પ્રિન્જર
આ જર્નલમાં પ્રકાસ્ષિત અધ્યયનો અનુસાર, આ દવાનો સમય રહેતા ઉપયોગ શરુ કરવામાં આવે તો કિડની પર ફેલાતા રોગને ખતમ કરી શકાય છે. આના સેવનથી ક્રિએટીનીન, યૂરિયા તથા યૂરિક એસીડની માત્રામાં અછત આવે છે. ઓક્સીડેટિવ તથા ઇન્ફ્લામેંટ્રી સ્ટ્રેસ પણ ઓછો થાય છે. ઓક્સીડેટીવ સ્ટ્રેસ ત્યારે થાય છે જ્યારે શરીરમાં એંટી-ઓક્સીડેન્ટ તથા ફ્રી-રેડીકલ તત્વોનો તાલમેલ બગડી જાય છે. આ કારણે શરીર બીમારીઓથી લડી શકતું નથી.
પ્રોફેસર દ્વિવેદી જણાવે છે કે નીરી-કેએફટી પ્રતિરોધક ક્ષમતા વધારે છે. કિડનીને તાકાત આપે છે. આમાં 20 ઔષધિઓ શામેલ છે. આનાથી દર્દીનાં શરીરમાં ક્રિએટીનીન લેવલ ઓછું થાય છે. ડાયાલિસીસનો ખતરો ટળે છે. જે ડાયાલિસીસ પર છે, તેની ફ્રિકવન્સી ઓછી થાય છે.