ચાંગેરીના નામથી ખૂબ જ ઓછા લોકો જાણતા હશે. આ ઘાસની જેમ એક ખરપતવાર છે, પરંતુ તેના ફાયદા જાણી તમે હેરાન થશો. જેને આયુર્વેદિક જડીબુટ્ટીનો દરજ્જો આપવામાં આવ્યો છે. સ્વાદમાં ખાટ્ટી ચાંગેરી વિટામિન-સીથી ભરપૂર હોય છે. ચાંગેરીના પાંદડાઓનો સ્વાદ ખાટ્ટો હોય છે.
ચાંગેરીને આયુર્વેદિક જડીબુટ્ટીનો દરજ્જો આપવામાં આવ્યો
સ્વાદમાં ખાટ્ટી ચાંગેરી વિટામિન-સીથી હોય છે ભરપૂર
માઈગ્રેન નહીં આ બિમારીઓમાં પણ રાહત અપાવશે ચાંગેરીના પાંદડા
ખીલ અને કાળા ડાઘને કહો બાયબાય
ચાંગેરીના પાંદડાઓમાં પોટેશિયમ, કેલ્શિયમ અને કેરોટીન ભરપૂર માત્રામાં હોય છે. આ સિવાય તેના પાંદડામાં ઓક્સિલેટ અને વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. તો આવો જાણીએ તેના અઢળક ફાયદા. ચાંગેરીના પાંદડા આમ તો ઘણી વસ્તુમાં લાભદાયી માનવામાં આવે છે. પરંતુ આ ખીલ અને કાળા ડાઘાને મિટાવવામાં ખૂબ મહત્વનો રોલ નિભાવે છે. જેના સેવનથી તમે ખીલ અને કાળા ડાઘાને બાય-બાય કહી શકો છો. ચાંગેરીના પાંદડાને પીસી નાખો અને તેને ચંદનની પેસ્ટની સાથે મિલાવો. આ પેસ્ટને ચહેરા પર ફેસપેકની જેમ લગાવો અને 15 મિનિટ બાદ ધોઈ નાખો. જેનાથી ખીલ અને કાળા ડાઘની સમસ્યા દૂર થશે.
કમળાની સમસ્યામાં મળશે રાહત
કમળાની સમસ્યાથી ત્રસ્ત દર્દી દિનચર્યામાં ચાંગેરીના પાંદડાને ઉમેરી શકે છે. એવામાં તમે સવારે ઉઠી ચાંગેરીના પાંદડાને ચાવો. તમે ઈચ્છો તો આ પાંદડાનું જ્યુસ બનાવીને પી શકો છો. આવુ કરવાથી સમસ્યા ટૂંક સમયમાં દૂર થશે.
માથાનો દુ:ખાવો અને માઈગ્રેનમાં ચાંગેરી ગુણકારી
માથાનો દુ:ખાવો અને માઇગ્રેનથી પરેશાન દર્દી ચાંગેરીની મદદ લઇ શકે છે. તેઓ ભૂખ્યા પેટે ચાંગેરીના પાંદડાને ચાવીને તેની પર પાણી પી શકે છે. આમ કરવાથી માથાના દુખાવાની સાથે માઈગ્રેનમાંથી પણ રાહત મળી શકે છે.