મોદી સરકારે દેશના તબીબોને લઈને મોટો નિર્ણય કર્યો છે જેમાં જેને જાણીને મેડિકલ ક્ષેત્રથી જોડાયેલા લોકો ચોંકી ઉઠશે. હવે આયુર્વેદના તબીબો પણ સર્જરી કરી શકશે. સરકારે એક નોટિફિકેશનના માધ્યમથી આયુર્વેદના PGના વિદ્યાર્થીઓને સર્જરીની મંજૂરી આપી છે.
આયુર્વેદ ડોક્ટર્સ માટે મોટા સમાચાર
સરકારે સર્જરી માટે આપી મંજૂરી
PG વિદ્યાર્થીઓને અપાશે તાલીમ
હવે આયુર્વેદ ડૉક્ટર પણ કરી શકશે સર્જરી
કેન્દ્ર સરકારે આયુર્વેદ ડૉક્ટરને સર્જરી માટે લીલી ઝંડી આપી દીધી છે. હવેથી PGના વિદ્યાર્થીઓને પણ જુદી જુદી સર્જરી માટે તાલીમ આપવામાં આવશે જેમાં આયુર્વેદ ડૉક્ટર જનરલ અને ઓર્થોપેડિક સર્જરી કરી શકશે.
આંખ, કાન અને ગળાની સર્જરી કરવા માટે પણ મળી મંજૂરી
સરકારે જે મંજૂરી આપી છે તે અનુસાર આંખ, કાન અને ગળાની સર્જરી કરવા માટે પણ હવે આયુર્વેદના તબીબો આગળ આવી શકશે. આયુર્વેદના વિદ્યાર્થીઓને શિક્ષણમાં સર્જરી શિખવવામાં આવતી હતી પણ અત્યાર સુધી આયુર્વેદ ડૉક્ટર સર્જરી કરી શકે કે નહી તે અંગે સ્પષ્ટતા ન હતી. જોકે હવે આયુર્વેદ વિદ્યાર્થીઓને PGમાં આંખ, નાક, કાન ગળું અને જનરલ સર્જરીની તાલીમ અપાશે.
અત્યાર સુધી આયુર્વેદ ડૉક્ટર સર્જરી કરી શકે કે નહી તે અંગે સ્પષ્ટતા ન હતી
નોંધનીય છે કે લાંબા સમયથી આયુર્વેદના તબીબોની માંગ હતી કે તેમને પણ સર્જરી કરવાની ખુલી છૂટ આપવામાં આવે. જોકે સામે આ નિર્ણયનો વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. દિલ્લી મેડિકલ એસોસિએશને સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો છે, ડૉ. અનિલ બંસલનું માનવું છે કે આ નિર્ણયથી ઊંટવૈદોને પ્રોત્સાહન મળશે અને દર્દીઓ પર સંકટ પેદા થશે.