દિવાળીના તહેવારને લઈને રામનગરીમાં આજે 5.51 લાખ દીવા પ્રગટાવવામાં આવશે. આ આયોજનમાં અવધ વિશ્વવિદ્યાલય સહિત અનેક વિભિન્ન કોલોજોના બાળકો રામની પૈડી પર ચાર લાખ દીવા પ્રગટાવશે. આ ઘટના વિશ્વ રેકોર્ડ બનશે.
14 મઠ-મંદિરોને દોઢ લાખ દીવાથી સજાવાશે
કુલ 5.51 લાખ દીવા પ્રગટાવીને વિશ્વ રેકોર્ડ બનાવાશે
ગિનિઝ બુક ઓફ રેકોર્ડની ટીમ પહોંચશે અયોધ્યા
અયોધ્યામાં ખાસ સુરક્ષા બંદોબસ્ત
આજે અયોધ્યામાં યોજાનારી દિવાળીને લઈને તંત્રએ ખાસ સુરક્ષા બંદોબસ્ત કર્યો છે. આ સમયે અનેક જગ્યાઓએ આરએએફ, પીએસી અને પોલિસના જવાનોની સાથે હોમગાર્ડ, ફ્લડ કંપની અને ખાનગી વિભાગના લોકો તૈનાત રહેશે.
એસપી સીટિ વિજયપાલ સિંહના જણાવ્યા અનુસાર દુકાનદારોને સુવિધા આપવામાં આવશે, દુકાનો પહેલાની જેમ જ ચાલુ રહેશે પરંતુ અતિક્રમણ કરવા દેવામાં આવશે નહીં. કેટલાક રૂટનું ડાયવર્ઝન કરવામાં આવશે અને સાથે જ ભારે વાહનોના આગમન પર પ્રતિબંધ મૂકવામાં આવશે.
આ મહેમાનો રહેશે ઉપસ્થિત
ઉલ્લેખનીય છે કે સમારોહના મુખ્ય મહેમાન ફિઝિના ડેપ્યુટી સ્પીકર બીના ભટનાગર હશે. રાજ્યપાલ આનંદી બેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રામકથા પાર્કમાં પ્રભુ શ્રીરામ, માતા સીતા અને લક્ષ્મણના સ્વરૂપની આગેવાની કરશે. રામકથા પાર્કમાં નેપાલ, શ્રીલંકા, ઇન્ડોનેશિયા, ફિલિપિંસની રામલીલાનું મંચ રહેશે. લેઝર શોથી રામકથાના પ્રસંગો બતાવવામાં આવશે.
રામના રાજ્યાભિષેકને દેખાડવામાં આવશે. આયોજનની શરૂઆત શનિવારે સવારે સાકેત મહાવિદ્યાલયથી રામકથા પાર્ક સુધી શોભાયાત્રાની સાથે થશે. તેમાં રામાયણકાલીન પ્રસંગોની યાત્રા કાઢવામાં આવશે. સાંજે 7 વાગ્યાથી 7.30 વાગ્યા સુધી દીપદાનની સાથે દીપોત્સવીની ઉજવણી કરવામાં આવશે. કાર્યક્રમના મુખ્ય અતિથિ મા સરયૂની આરતી ઉતારશે. અને સાથે જ અહીં આતિશબાજી પણ યોજાશે.