ભાજપમાં આજે ઐતિહાસિક દિવસ છે સૈકાઓથી ચાલ્યા આવતા વિવાદનો આજે અંત આવ્યો છે. રામમંદિર જન્મ ભૂમીની જગ્યાએ રામમંદિર બનાવવામાં આવશે અને મસ્જિદ માટે અયોધ્યામાં જ અલગ જમીન ફાળવવામાં આવશે ત્યારે આ મુદ્દે ઘમાસાણ મચાવનાર ઉમાભારતી એલ કે અડવાણીને ઘરે પહોંચી હત્યા. અને રામમંદિરની શુભકામનાઓ આપી હતી.
એલ કે અડવાણીને આપ્યો શ્રેય
શુભેચ્છા આપવા પહોંચ્યા અડવાણીને ત્યાં
સુપ્રીમ કોર્ટે તટસ્થ ચુકાદો આપ્યો છે. આ દિવ્ય ચુકાદાનું હું દિલથી સ્વાગત કરૂ છું. હું અટવાણીજીના ઘરે તેમને પગે લાગવા અને આ ચુકાદાની શુભેચ્છા ફાળવવા જઉ છું. અટવાણી જી એ માણસ છે જેમણે રામમંદિરનો મુદ્દો ઉઠાવ્યો હતો અને ચેલેન્જ આપી હતી કે મંદિર તો બની ને જ રહેશે. આજે ભાજપા એમના માર્ગદર્શન હેઠળ જ આટલે પહોંચ્યુ છે.
#WATCH Uma Bharti,BJP on #AyodhyaVerdict: Court ne ek nishpaksh kintu divya nirnaya diya hai. Main Advani ji ke ghar mein unko maatha tekne aayi hoon, Advani ji hi veh vyakti the jinhone pseudo-secularism ko challenge kiya tha...unhi ki badaulat aaj hum yahan tak pahunche hain. pic.twitter.com/YYtY4RCz06
1992માં બાબરી તોડી પડાઈ હતી
1992માં બાબરી મસ્જિદ તોડી પાડીને રામમંદિર બનાવવા માટેનું આખુ આંદોલન ચલાવવામાં આવ્યુ હતુ જેના આગેવાન એલ કે અડવાણી હતા અને મુરલી મનોહર જોષી સહિતના ભાજપના નેતાઓએ બાબરીધ્વંસની ઘટનાને અંજામ આપ્યો હતો. આ મુદ્દે હાલ પણ કેસ ચાલુ છે. રામ મંદિર બનાવવાનો મુદ્દે જ ભાજપે સત્તા મેળવી હોવાનું પણ કહેવાઈ રહ્યુ છે.
ઉમાભારતી પહોચ્યા એલ કે અડવાણીને ત્યાં
ઉમાભારતી ઉપર હિન્દુવાદી નેતા હોવાની છાપ છે અને રામ મંદિર બનાવવાનુ સપનું પુરુ થતા તે પોતાના સાથીદાર એલ કે અડવાણીને શુભેચ્છા આપવા તેમના ઘરે પહોંચી ગયા હતા.