અયોધ્યામાં રામ મંદિર જમીન વિવાદના નિવારણ માટે રચાયેલી મધ્યસ્થતા પેનલના રિપોર્ટ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. 8 માર્ચે કોર્ટના આદેશ બાદ 3 સભ્યની પેનલની રચના કરાઈ હતી. જેમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ કલીફુલ્લાહની અદાલતે પેનલના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી હતી.
આ પેનલે પોતાના રિપોર્ટમાં અયોધ્યા કેસના સમાધાનની આશા વ્યક્ત કરી છે. જોકે આ સમગ્ર પ્રક્રિયામાં લાંબો સમય લાગવાની પણ વાત કરી છે. પેનલે અત્યાર સુધી બે સંક્ષિપ્ત રિપોર્ટ સોંપ્યા છે પ્રથમ રિપોર્ટ એપ્રિલમાં સોપ્યો હતો. જેમાં પેનલે એ વાતની જાણકારી આપી હતી કે પેનલે કયા પક્ષોની સાથે બેસીને વાત કરી છે. જ્યારે બીજો રિપોર્ટ ચાલુ સપ્તાહમાં જ સોંપ્યો છે. જેમાં હજુ પણ અનેક ચર્ચાઓ કરવાની વાત કહેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ આજે પેનલના રિપોર્ટ પર વિચાર કરી શકે છે.
જણાવી દઇએ 8 માર્ચે દેશના સૌથી મોટા કાયદાકીય વિવાદ અયોધ્યા ભૂમિ પર માલિકીના હકના ઉકેલ માટે સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતાની મંજૂરી આપી હતી. મધ્યસ્થાઓની જે કમિટી બની હતી તેમાં જસ્ટિસ ખલીફુલ્લા, વકીલ શ્રીરામ પંચૂ અને આધ્યાત્મિક ગુરૂ શ્રીશ્રી રવિશંકર સામેલ છે.
રવિશંકરના નામ પર ઓવૈસીએ વાંધો દર્શાવ્યો હતો
મધ્યસ્થતા કમિટીમાં શ્રીશ્રી રવિશંકરને સામેલ કરવા પર AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ વાંધો દર્શાવ્યો હતો તેમણે કહ્યું હતું કે હવે જોકે સુપ્રીમ કોર્ટે નિર્ણય સંભળાવી દીધો છે, જે હવે શ્રીશ્રી રવિશંકરે નિષ્પક્ષ રહેવું પડશે. આશા છે કે મધ્યસ્થ પોતાની જવાબદારી સમજે.
ઓવૈસી સિવાય અયોધ્યાના સાધુઓએ રવિશંકરના નામ પર વાંધો દર્શાવ્યો હતો. અયોધ્યામાં હિન્દુ પક્ષકારે કહ્યું કે બધુ મળીને આ મુદ્દાને ફરી લટકાવવાનું કામ કર્યું. તેમણે ધર્મગુરૂ શ્રીશ્રી રવિશંકરના નામને ફગાવતા કહ્યું હતું કે શું અયોધ્યાના સંતો આ મામલે મધ્યસ્થની ભૂમિકા નિભાવવા કાબિલ ન હતા. તેમણે કહ્યું હતું કે રવિશંકર આ મામલામાં મધ્યસ્થતા કરનાર કોણ છે. અયોધ્યાના સંતોએ કહ્યું કે સમજૂતી પક્ષકારોને કરવાની છે, પરંતુ આ પેનલમાં પક્ષકાર છે જ નહીં.