અયોધ્યા પર સુપ્રીમ કોર્ટના ચુકાદા મામલે વિવાદિત 2.77 એકર જમીન પર રામ જન્મભૂમિ ન્યાસને માલિકીનો હક દેવાનો આદેશ સંભળાવવામાં આવ્યો હતો. ત્યારે અયોધ્યા મામલે રિવ્યૂ પિટિશન દાખલ ન કરવાનો જમીયત ઉલેમા-એ-હિંદે નિર્ણય કર્યો છે.
સુપ્રીમ કોર્ટના ચુકાદા વિરૂદ્ધ રિવ્યૂ પિટિશન નહીં દાખલ કરે જમીયત
બેઠકમાં પાસ થયો પ્રસ્તાવ
અયોધ્યાના જમીન વિવાદમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરૂદ્ધ જમીયત-ઉલેમા-એ-હિંદ રિવ્યૂ પિટિશન નહીં દાખલ કરે. ગુરૂવારે જમીયતની એક બેઠકમાં આને લઇને પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે.
જમીયતના અઝીમુલ્લાહ સિદ્દીકીએ જણાવ્યું કે અમે બાબરી મસ્જિદ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરૂદ્ધ પુનર્વિચાર અરજી દાખલ ન કરવાનો નિર્ણય કર્યો છે. જમીયત-ઉલેમા-એ હિંદની નેશનલ વર્કિંગ કમિટીએ દિલ્હીમાં થયેલ એક બેઠકમાં આને લઇને પ્રસ્તાવ પાસ કર્યો છે.
Jamiat Ulama-i-Hind has issued a clarification that "Jamiat Ulama-i-Hind has passed a resolution that it will not file review petition against the Supreme Court verdict on Babri Masjid & mosques managed by Archaeological Survey of India (ASI) and Waqf properties." https://t.co/NZz6vR8Sc4
એએનઆઇ દ્વારા મળતી માહિતી અનુસાર, જમીયત ઉલામા-એ-હિંદે સ્પષ્ટતા કરી છે કે 'જમીયત ઉલામા-એ-હિંદે એક ઠરાવ પસાર કર્યો છે કે તે બાબરી મસ્જિદ અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદા વિરુદ્ધ રિવ્યૂ પિટિશન દાખલ નહીં કરે, જે ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણ (એએસઆઈ) અને વક્ફ બોર્ડ દ્વારા સંચાલિત છે. '
ઉલ્લેખનીય છે કે, આ પહેલા 17 નવેમ્બરે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ (AIMPLB) એ પોતાની બેઠકમાં નિર્ણય લીધો હતો કે તેઓ 30 દિવસમાં રિવ્યૂ પિટિશન દાખલ કરશે.