પ્રતિબંધિત સંગઠન પૉપુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયા (PFI) થી જસ્ટિસ નઝીર અને તેમના પરિજનોને ખતરાને જોતા આ સુરક્ષા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જસ્ટિસ અબ્દુલ નઝીર અયોધ્યા મામલે ચુકાદો આપનાર સુપ્રીમ કોર્ટના પાંચ જજમાં સામેલ હતા.
ગૃહ મંત્રાલયે જસ્ટિસ નઝીર અને તેમના પરિજોને ઝેડ કેટેગરીની સુરક્ષા ઉપલબ્ધ કરાવવા માટે કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF) અને સ્થાનિક પોલીસને આદેશ આપી દેવાયા છે.
સુરક્ષા એજન્સીઓએ અયોધઅયા મામલે ચુકાદો આવ્યા બાદ પીએફઆઇ અને અન્યથી અબ્દુલ નઝીર અને તેમના પરિવારનો જીવ ખતરમાં હોવાને લઇને સચેત કર્યા છે.
એએનઆઇ અનુસાર સેના અને સ્થાનિક પોલીસ તાત્કાલિક જસ્ટિસ નઝીરને સુરક્ષા ઉપલબ્ધ કરાવશે. કર્ણાટક અને દેશની અન્ય જગ્યાઓ પર રહેલ જસ્ટિસ નઝીરના પરિવારજનોને સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
જસ્ટિસ નઝીરના પરિવારને બેંગલુરૂ યાત્રા દરમિયાન પણ આ સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ દરમિયાન તેની સાથે 22 પેરામિલિટ્રીના જવાન રહેશે. ત્યારે પોલીસ જવાન પણ સામેલ રહેશે. સાથે જ તેમને ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવશે.