અયોધ્યા પર આવેલ સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા પર ઓલ ઇન્ડિયા મઝલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) ના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીનું રાજકીય નિવેદન ફરી સામે આવ્યું છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે મને મારી મસ્જિદ પાછી જોઇએ.
અસદુદ્દીન ઓવૈસીનું ફરી રાજકીય નિવેદન સામે આવ્યું છે
પહેલા પણ સુપ્રીમ કોર્ટના નિર્ણય પર અસહમતિ દર્શાવી
9 નવેમ્બરના ચુકાદા વાળા દિવસે ઓવૈસીએ કહ્યું હતું કે મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડની જેમ અમે પણ ચુકાદાથી સહેમત નથી, સુપ્રીમ કોર્ટથી પણ ચૂક થઇ શકે છે. જેમણે બાબરી મસ્જિદને તોડી, તેમને ટ્રસ્ટ બનાવીને રામ મંદિર બનાવવાનું કામ આપવામાં આવ્યું છે.
અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું હતું કે જો મસ્જિદ ત્યાં રહેત તો સુપ્રીમ કોર્ટ શું નિર્ણય લેત. આ કાયદા વિરૂદ્ધ છે. બાબરી મસ્જિદ ન તૂટત તો નિર્ણય શું આવત. અમને ભારતના સંવિધાન પર ભરોસો છે. અમે પોતાના અધિકાર માટે લડી રહ્યા હતા. 5 એકર જમીનની જરૂર નથી. મુસ્લિમ ગરીબ છે, પરંતુ મસ્જિદ બનાવવા માટે અમે પૈસા એકઠા કરી શકીએ છીએ.
આપણે 5 એકર જમીનને ઓફરને નકારી દેવી જોઇએ
ચુકાદાના દિવસે અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું હતું કે આપણે 5 એકર જમીનને ઓફરને નકારી દેવી જોઇએ. ઓવૈસીએ આરોપ લગાવ્યા કે આ દેશ હવે હિન્દુરાષ્ટ્રના રસ્તે જઇ રહ્યો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)એ અયોધ્યાથી આની શરૂઆત કરી છે અને એનઆરસી, સિટિજન બિલથી આ પૂર્ણ કરવામાં આવશે.
અમારે દહેજમાં 5 એકર જમીન નથી જોઇતી
AIMIMના પ્રવક્તા વારિસ પઠાણે કહ્યું કે સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સન્માન કરું છું અને કરતો રહીશું. અમારે દહેજમાં 5 એકર જમીન નથી જોઇતી. અમારી લડાઇ મસ્જિદ માટે હતી, 5 એકર જમીન માટે નહીં. જો મને સુપ્રીમ કોર્ટના સંતુષ્ટિ નથી થતી તો સંવિધાન મને પોતાનો પોઇન્ટ રાખવાનો મોકો આપે છે.