અયોધ્યા મામલા પર મંગળવારે સુપ્રીમ કોર્ટના નિર્ણયને લઇને સુન્ની વકફ બોર્ડની બેઠક થઇ. બોર્ડની મીટિંગમાં 7માંથી 6 સભ્યોએ રિવ્યૂ પિટીશન ન દાખલ કરવાની વાત કહી. એક સભ્યએ તેનો વિરોધ કર્યો. બહુમતીથી નિર્ણય લેવામાં આવ્યો છે કે સુન્ની વકફ બોર્ડ સુપ્રીમ કોર્ટમાં રિવ્યૂ પિટીશન દાખલ કરશે નહીં. જોકે, એ વાત પર કોઇ ચર્ચા થઇ નથી કે, મસ્જિદ માટે 5 એકડ જમીન સ્વીકારવામાં આવશે કે નહીં.
અયોધ્યા મામલા પર મંગળવારે સુપ્રીમ કોર્ટના નિર્ણયને લઇને સુન્ની વકફ બોર્ડની બેઠક થઇ
સુન્ની વકફ બોર્ડની બેઠકમાં 7માંથી 6 સભ્યોએ રિવ્યૂ પિટીશન ન દાખલ કરવાની વાત કહી
મસ્જિદ માટે 5 એકડ જમીન સ્વીકારવામાં આવશે કે નહીં, તેના પર કોઇ ચર્ચા નહીં
સુન્ની વકફ બોર્ડના સભ્ય અબ્દુલ રઝ્ઝાકે એક ન્યૂઝ ચેનલ 'આજતક' સાથે વાતચીતમાં કહ્યું, બોર્ડ રિવ્યૂ પિટીશન નહીં દાખલ કરે. બેઠકમાં માત્ર અબ્દુલ રઝ્ઝાક જ હતા જેમણે અરજી દાખલ કરવાના પક્ષમાં વાત કરી હતી. પરંતુ બોર્ડે 6-1 બહુમતીથી પોતાનો નિર્ણય લીધો. મસ્જિદની જમીનને લઇને બેઠકમાં કોઇ વાતચીત થઇ નથી. આગળની બેઠકમાં બોર્ડ આ મામલે ચર્ચા કરશે. અબ્દુલ રઝ્ઝાકે કહ્યું કે જમીનના મામલા પર હાલ નિર્ણય નથી લેવાયો. જ્યારે સરકાર ઓફર કરશે ત્યારે નિર્ણય લઇશું.
Abdul Razzaq Khan,Sunni Waqf Board: Majority decision in our meeting is that review petition in Ayodhya case should not be filed. pic.twitter.com/pwexHmprHb
સુન્ની વકફ બોર્ડના ચેરમેન ઝફર ફારુકી પહેલા જ પોતાનો મત વ્યક્ત કરી ચુક્યા છે કે સુન્ની વકફ બોર્ડે સુપ્રીમ કોર્ટ ( Supreme Court ) નો નિર્ણય માની લેવો જોઇએ.
જોકે, ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના રિવ્યૂ પિટીશનમાં ગયા બાદ હવે સુન્ની વકફ બોર્ડ પણ બે જુથમાં વહેંચાઇ ગયું છે. એક જુથ ખુલીને પિટીશન દાખલ કરવાના પક્ષમાં છે, તો બીજા ઘણા લોકો આ મામલાને આગળ લઇ જવાના પક્ષમાં નથી.
ઝફર ફારુકીની વાતથી અબ્દુલ રઝ્ઝાક ખાન અને બીજા સભ્ય સહમતી રાખતા નથી. તેમના મુજબ સુન્ની વકફ બોર્ડે રિવ્યૂમાં જરૂર જવું જોઇએ કેમકે સુપ્રીમ કોર્ટના નિર્ણયમાં ઘણા વિરોધાભાસ છે. સાથે જ પાંચ એકડ જમીન પણ લેવી જોઇએ નહીં. કેમકે મસ્જિદની બદલે બીજી મસ્જિદ બનાવી ન શકાય. મસ્જિદ હંમેશા માટે હોય છે.
દેશભરની 100 જાણીતી મુસ્લિમહસ્તિઓએ રિવ્યૂ પિટીશનો કર્યો વિરોધ
અભિનેતા નસીરુદ્દીન શાહ અને શબાના આઝમી સહીત દેશભરની 100 જાણીતી મુસ્લિમ હસ્તિઓએ અયોધ્યા વિવાદ પર આવેલા સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ રિવ્યૂ પિટીશન દાખલ કરવાનો સોમવારે વિરોધ કર્યો. આ હસ્તિઓએ કહ્યું કે રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ મામલાના કેટલાક પક્ષકારોનું રિવ્યૂ પિટીશન દાખલ કરવાનો નિર્ણય વિવાદને જીવિત રાખશે અને મુસ્લિમોને નુકશાન પહોંચાડશે. રિવ્યૂ પિટીશન દાખલ કરવાનો વિરોધ કરવાના નિવેદન પર સહી કરનારમાં ઇસ્લામી વિદ્વાન, સામાજિક કાર્યકર્તા, વકીલ, પત્રકાર, વેપારી, શાયર, અભિનેતા, ફિલ્મકાર, થિયેટર, કલાકાર, સંગીતકાર અને વિદ્યાર્થી સામેલ છે.