અયોધ્યા પર ચુકાદાને લઇ અસદુદ્દીન ઓવૈસીએ પ્રતિક્રિયા આપી. તેઓએ કહ્યુ કે હું સુપ્રીમ કોર્ટના ચુકાદાથી સંતુષ્ટ નથી. સુપ્રીમ કોર્ટ સર્વોચ્ચ છે પરંતુ અચૂક નથી, અમને સંવિધાન પર પૂરો વિશ્વાસ છે. અમે અમારા હક માટે લડી રહ્યાં હતા. જેથી અમને 5 એકરની જમીન મંજૂર નથી જેને સ્વીકારવી ન જોઇએ.
અયોધ્યા પર ઐતિહાસિક ચુકાદો
સુપ્રીમ કોર્ટના નિર્ણયથી અસંતુષ્ટ
સુપ્રીમ કોર્ટના નિર્ણયને પડકારી શકાય છે
અયોધ્યા પર ચુકાદાને લઇ અસદુદ્દીન ઓવૈસીની પ્રતિક્રિયા
ઓવૈસીએ જણાવ્યુ હતુ કે, હું મુસ્લિમ પક્ષના વકીલોનો આભાર માનુ છું પણ હું સુપ્રીમ કોર્ટના નિર્ણયથી અસંતુષ્ટ છું. સુપ્રીમ કોર્ટના નિર્ણયને પડકારી શકાય છે અમે પડકારીશું. AIMPLB સાથે હું સહમત છું.
Asaduddin Owaisi: Not satisfied with the verdict. Supreme Court is indeed supreme but not infallible. We have full faith in the constitution, we were fighting for our right, we don't need 5 acre land as donation. We should reject this 5 acre land offer, don't patronize us. pic.twitter.com/wKXYx6Mo5Q
અમને 5 એકર જમીન મંજૂર નથી.
ઓવૈસીએ જણાવ્યુ હતુ કે જો કે ચુકાદાને વાંચવામાં સમય લાગશે. દેશના બંધારણ પર સંપૂર્ણ વિશ્વાસ છે. કાયદાકીય હક માટે મુસ્લિમ પક્ષ લડી રહ્યો હતો અને અમને
5 એકર જમીનની મંજૂર નથી.