સુપ્રીમ કોર્ટે રામ મંદિરના નિર્માણ માટે સરકારને ત્રણ મહિનામાં એક ટ્રસ્ટ બનાવવા કહ્યું છે. આ ટ્રસ્ટ મંદિર નિર્માણની રૂપરેખા બનાવશે. માનવામાં આવી રહ્યું છે કે તે કંઇક એવું જ હશે જેવું સોમનાથ મંદિરનું નિર્માણ થયું હતું. તે ટ્રસ્ટમાં તત્કાલીન ગૃહમંત્રી સરદાર વલ્લભ ભાઈ પટેલની સાથે શિક્ષાવિદ કેએમ મુંશીએ સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જેને લઇને મે, 1951માં મંદિર બનીને તૈયાર થઇ ગયું. તત્કાલીન રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લીધો હતો.
આઝાદી પહેલા સોમનાથ મંદિર જૂનાગઢ રજવાડાંમાં આવતું હતું
સોમનાથ માટે એક ધાર્મિક ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે કરાઇ હતી રચના
શ્રદ્ધાળુંઓના દાનથી મંદિરનું થયું હતું પુનર્નિમાણ
મહારાજા દિગ્વિજયસિંહજીને બનાવ્યા હતા ટ્રસ્ટના અધ્યક્ષ
શ્રી સોમનાથ ટ્રસ્ટનું ગઠન ગુજરાત પબ્લિક ટ્રસ્ટ એક્ટ, 1950 હેઠળ એક ધાર્મિક ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે કરવામાં આવ્યું હતું. સરદાર પટેલે જામનગરના મહારાજા દિગ્વિજય સિંહજી રણજીત સિંહજીને ટ્રસ્ટના અધ્યક્ષ બનાવ્યા હતા. જ્યારે રાજકારણી, સાહિત્યકાર અને શિક્ષાવિદ કેએમ મુંશી, કેન્દ્રીય મંત્રી એનવી ગાડગિલ અને જયસુખ લાલ હાથી અને ઉદ્યોગપતિ જીડી બિડલા અને સૌરાષ્ટ્ર ક્ષેત્રીય કમિશ્નર ડીવી રેગેને સભ્ય બનાવ્યા હતા. ત્યારથી અત્યાર સુધી ટ્રસ્ટનું કેટલીક વખત પુનર્ગઠન કરાઇ ચૂક્યું છે. સામાન્ય રીતે ગુજરાતના મુખ્યમંત્રી અને મુખ્ય સચિવને આના અધ્યક્ષ અને સભ્ય બનાવવામાં આવે છે.
મંદિરનું પુનર્નિમાણની મુહિમ આઝાદીની સાથે શરૂ
સોમનાથ મંદિરના પુનર્નિમાણની મુહિમ આઝાદીની સાથે શરૂ થઇ હતી. આઝાદી પહેલા સોમનાથ મંદિર જૂનાગઢ રજવાડાંમાં આવતું હતું. ભાગલા બાદ જૂનાગઢ રાજવાડાંના ભારતમાં વિલય સાથે જ સોમનાથ મંદિરના પુનર્નિર્માણ પર વિચારનો પ્રારંભ થઇ ગયો. તમામ ચર્ચાઓ, વિરોધ-સમર્થન અને લખાણ-વાંચન બાદ અંતમાં સરદાર પટેલે હિન્દુ જનભાવનાઓને ધ્યાનમાં રાખતા જૂના જર્જરિત મંદિરના સ્થાન પર નવું મંદિર બનાવવાના પક્ષમાં નિર્ણય લીધો અને 23 જાન્યુઆરી, 1949ના રોજ જામનગરમાં થયેલ એક સંમેલનમાં આના માટે બે દાનદાતાઓ, કેન્દ્ર સરકારના બે મંત્રીઓ, બે પ્રસિદ્ધ હસ્તિઓ અને સૌરાષ્ટ્ર સરકારના બે પ્રતિનિધિઓના સભ્યવાળા એક ટ્રસ્ટની રચના કરવાનો નિર્ણય લીધો.
જનતાના દાનથી મંદિરનું પુનર્નિમાણ
મંદિરના પુનર્નિર્માણનો પ્રસ્તાવ લઇને પટેલ, મુંશી અને અન્ય કોંગ્રેસી નેતા ગાંધીજીની પાસે પહોંચ્યા. ગાંધીજીએ ખુશી-ખુશી મંદિરના નિર્માણની સહમતિ આપી દીધી. પરંતુ સૂચન આપ્યું કે ધર્મ નિરપેક્ષ હોના કારણે સરકારને મંદિરમાં પોતાનું ધન લગાવવાના બદલે શ્રદ્ધાળુઓનું દાન એકત્રિત કરવું જોઇએ. અંતમાં આ આધાર પર મંદિરનું નિર્માણ થયું. પરંતુ જ્યારે મે, 1951માં મંદિર બનીને તૈયાર થઇ ગયું તો તેને જોવા માટે ન તો સરદાર પટેલ દુનિયામાં હતા અને ન તો મહાત્મા ગાંધી.
ટ્રસ્ટ પર રાજનેતાઓનો દબદબો
શરૂઆતના વર્ષોમાં ટ્રસ્ટમાં કોંગ્રેસી નેતાઓનો દબદબો રહ્યો. પરંતુ ધીરે-ધીરે તેમાં બદલાવ થયો અને હવે ભાજપના નેતાઓનું વર્ચસ્વ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તે ટ્રસ્ટના સભ્ય બન્યા હતા. હવે પ્રધાનમંત્રી તરીકે પણ તેના સભ્ય છે. તેના પહેલા મોરારજી દેસાઇ પ્રધાનમંત્રી રહેતા આના ટ્રસ્ટી રહ્યા હતા. જોકે ભલે ટ્રસ્ટ પર રાજનેતાઓનો દબદબો રહ્યો છે. પરંતુ આના પર કોઇ પણ રાજકીય રીતે કામ કરવાનો આરોપ નથી લાગ્યો.
રામ મંદિરનાં આ બેઝિક નિયમો છે
મંદિર બનાવવાનાં બે બેઝિક નિયમો છે. એક ભુગોળ અને બીજુ સંસ્કૃતિ. આ બન્નેનાં સમન્વયથી મંદિરનું નિર્માણ સુંદર રીતે કરી શકાય છે. ભારતમાં બે શૈલીનાં મંદિરો તૈયાર કરવામાં આવે છે. ઉત્તરમાં નાગર શૈલી અને દક્ષિણમાં દ્રવિડ્યન શૈલી. સોમપુરા પરિવાર નાગર શૈલીનાં મંદિરો અને કોમ્યુનિટી હોલ તથા બિલ્ડિંગ બનાવવામાં નિપુર્ણ છે.
નાગર શૈલીમાં બનશે મંદિર
રામ મંદિર 67 એકરમાં શિલ્પશાસ્ત્રનાં નિયમો પ્રમાણે તૈયાર કરવામાં આવશે. આ મંદિર ભારતની પ્રખ્યાત નાગર શૈલીમાં તૈયાર કરવામાં આવશે. મંદિરની 141 ફુટની ઊંચાઈ, 277 ફુટની લંબાઈ, 125 ફુટની પહોળાઈ ધરાવશે.
મંદિરનું 40 ટકા કામ પુરુ
ચંદ્રકાન્ત સોમપુરાએ જણાવ્યું હતું કે, મંદિરનું 40 ટકા કામ પુરુ થઈ ચુક્યું છે. 60 ટકા કામ બાકી છે. અંદાજીત 3 વર્ષમાં મંદિરનું નિર્માણ થઈ જશે. મંદિર નિર્માણ માટે રાજસ્થાનથી પથ્થરો મંગાવવામાં આવશે. મંદિર નિર્માણમાં સ્ટીલનો ઉપયોગ કરવામાં નહી આવે. તેમજ આ મંદિરનું આયુષ્ય હજારો વર્ષ સુધીનું રહેશે.
મંદિર અષ્ટકોણીય હશે
શિલ્પશાસ્ત્રનાં નિયમો પ્રમાણે આ મંદિર અષ્ટકોણીય હશે. જેને ચારેય તરફ દરવાજા હશે. જેમાં ગર્ભગૃહ, ગુઢ મંડપ, નૃત્ય મંડપ, રામના જન્મની મુર્તિ, રામ દરબાર હશે. મંદિર અવું હશે તેની પ્રદક્ષિણા કરી શકાશે.
કેમ્પર્સમાં કોતરણીવાળા વિજય સ્તંભ હશે
આ જગ્યાએ કેમ્પર્સમાં મંદિર ઉપરાંત અન્ય ચાર મંદિરો બનાવવામાં આવશે. જેમાં ભરત, લક્ષ્મણ, સીતા અને હનુમાન મંદિરનો સમાવેશ થાય છે. મંદિરની ચારેય તરફ દરવાજા છે. આ ચારેય દરવાજા દરેક દિશાની સંસ્કૃતિને અનુરુપ હશે. કેમ્પર્સમાં 250 જેટલા કોતરણીવાળા રામના વિજય સ્તંભ બનશે.
મંદિરમાં આટલી સુવિધા હશે
આ ઉપરાંત અહીં લગભગ 6 ફુટની ઉંચી રામમુર્તિ હશે. તેમજ કેમ્પર્સમાં સંત નિવાસ, ભક્તોને રહેવા માટેની ધર્મશાળા, ભોજનની વ્યવસ્થા તથા મંદિરનું ખાસ રિસર્ચ સેન્ટર બનાવવામાં આવશે. જેમાં રામાયણ તથા મહાભારત જેવા મહાકાવ્યો પર રિસર્ચ કરનારને સરળતા રહેશે. અહીંની લાઈબ્રેરીમાં ભગવાનને લગતા સંખ્યાબંધ પુસ્તકો મળી રહેશે.