અયોધ્યા કેસને લઈને સુપ્રિમ કોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદાને પગલે રાજ્યમાં ધર્મગુરૂઓ દ્વારા કોમી એખલાસ જળવાય તે માટે અપીલ કરવામાં આવી રહી છે. જેમાં અમદાવાદમાં સ્વામી પ્રેમ વત્સલદાસજી, ગઢડાના ગોપીનાથજી મંદિરના સ્વામી, સુરતના ક્ષેત્રપાલ મંદિરના મહંત, પાટણમાં જમિયત ઉલમાં અને મૌલાના ઈમપાન શેખે પણ ભાઈચારાની શાંતિની અપીલ કરી હતી.
પાટણમાં પણ ધર્મગુરુઓની શાંતીની અપીલ
સૌ યાદ રાખે કે ગાંધીજી અહિંસાના પુજારી હતા
સુરતમાં કોર્ટનો ચુકાદો શિરોમાન્ય
અમદાવાદમાં સ્વામી પ્રેમવત્સલદાસજીની અપીલ
અમદાવાદમાં સ્વામી પ્રેમવત્સલદાસજીએ ગુજરાતીઓને અપીલ કરી છે. દેશમાં શાંતિ બની રહે તેવી દેશવાસીઓને અપીલ કરી છે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, ગાંધીના ગુજરાતમાં રહીએ છે તે સૌ યાદ રાખે કે ગાંધીજી અહિંસાના પુજારી હતા. ચુકાદા પર ઉશ્કેરણીજનક વાતોમાં ન અપીલ આવવા કરી હતી.
ગઢડાના સ્વામીની પણ શાંતી જાળવવા અપીલ
સુપ્રીમ કોર્ટના ચુકાદાને લઈને ગઢડા ગોપીનાથજી મંદિરના એસ.પી.સ્વામીએ નિવેદન આપ્યુ છે કે, અયોધ્યા મામલે સુપ્રિમ કોર્ટનો ચુકાદો શિરોમાન્ય છે.. દેશના તમામ લોકોએ સુપ્રિમ કોર્ટને ચુકાદો માને જોઈએ. સાથે જ તેમણે લોકોને શાંતિની અપીલ પણ કરી છે.
સુરતમાં કોર્ટનો ચુકાદો શિરોમાન્ય
આ મામલે સુરતના ધાર્મિક આગેવાનોએ લોકોને શાંતિ જાણવવા માટે અપીલ કરી છે. ક્ષેત્રપાલ મંદિરના મહંતે પ્રતિક્રિયા આપી છે કે, કોર્ટનો ચુકાદો શિરોમાન્ય છે. અને દેશભરના લોકોએ શાંથિ અને સૌહાર્દ બનાવી રાખવુ જોઈએ.
પાટણમાં પણ ધર્મગુરુઓની શાંતીની અપીલ
પાટણમાં જમિયત ઉલમાંએ કરી શાંતિની અપીલ કરી છે. મૌલાના ઈમરાન શેખે પાટણમાં ભાઈચારાની અને શાંતિની અપીલ કરી હતી.