અયોધ્યા રામમંદિરના ચુકાદા પહેલા ગુજરાતમાં ભાજપના નેતાઓ અને કાર્યકરો માટે ગાઈડલાઈન જાહેર કરવમાં આવી છે જે અનુસાર ભાજપના નેતાઓ ચુકાદા પહેલા કશા નિવેદનો નહીં આપી શકે એટલુ જ નહીં પરંતુ આ મુદ્દે યોજાતી ટીવી ડિબેટમાં પણ તેઓ ભાગ નહી લઈ શકે.
ભાજપ દ્વારા ગુજરાતના નેતાઓ માટે ગાઈડલાઈન જાહેર કરાઈ
ભાજપના લઘુમતી નેતાઓ અને મુસ્લિમ ધર્મગુરૂઓની બેઠકોનો દોર
સંવેદનશીલ વિસ્તારમાં તંત્ર દ્વારા તૈનાત કરાશે સુરક્ષા
અયોધ્યા રામમંદિરનો ચુકાદો જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ સામાન્ય માણસો જ નહીં પરંતુ રાજકિય પક્ષોમાં પણ હલચલ જોવા મળી રહી છે. સૂત્રોના જણાવ્યાનુસાર ભાજપ સરકાર દ્વારા ગુજરાતના ભાજપના પ્રવક્તાઓ, નેતાઓ અને કાર્યકરોને રામમંદિર અંગે કોઈપણ ટીપ્પણી નહીં કરવા સહિતની ગાઈડલાઈન આપવામાં આવી છે. પ્રવક્તાઓને સુપ્રીમ કોર્ટનો ચુકાદો ન આવી જાય ત્યાં સુધી કોઈપણ ડિબેટમાં ભાગ લેવાની મનાઈ ફરમાવવામાં આવી છે.
સંવેદનશીલ વિસ્તારમાં તંત્ર દ્વારા તૈનાત કરાશે સુરક્ષા
રામમંદિરનો ચુકાદો 15મી નવેમ્બર આસપાસ આવવાની સંભાવના સેવાઈ રહી છે. ત્યારે ગુજરાતમાં ગોધરા, અમદાવાદ, વડોદરા, મહેસાણા, સહિતના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષાનો પૂરે પુરો બંદોબસ્ત કરવામાં આવ્યો છે અને ચુપચાપ ઈન્ડિયન આર્મી સહિતના સુરક્ષા દળોને તૈનાત કરી દેવામાં આવ્યુ છે.
અયોધ્યામાં રામમંદિર અને બાબરી મસ્જિદ મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદા પહેલા હિન્દુ-મુસ્લિમ સંગઠનો પોત પોતાના સ્તરેથી કોમી એખલાસનો મેસેજ આપવામાં રત થઈ ગયા છે.
ભાજપના લઘુમતી નેતાઓ અને મુસ્લિમ ધર્મગુરૂઓની બેઠકોનો દોર
BJP, RSSના લઘુમતી નેતાઓને મુસ્લિમ સમાજ વચ્ચે એક્ટીવ કરી દીધા છે. કેન્દ્રિય લઘુમતી નેતા મુખ્તાર અબ્બાસ નકવી અને યુપીમાં મંત્રી મોહસિન રજા સહિતના નેતાઓ મુસ્લિમ સમાજ સાથે સંવાદ સાથી શાંતી જાળવવાની અપીલ કરી રહ્યા છે.
લઘુમતી કેન્દ્રીય પ્રધાન મુખ્તાર નકવીને ઘરે મળી હતી બેઠક
કેન્દ્રિય પ્રધાન મુખ્તાર નકવીના રહેઠાણ ઉપર મુસ્લિમ ધર્મગુરૂ અને RSSના નેતાઓની બેઠક મળી હતી જેમાં ભાજપના શાહનવાઝ હુસેન, ફિલ્મ નિર્માતા મુઝફ્ફર અલી અને શિયા ધર્મગુરૂ મૌલાના સૈયદ કલ્બે જાવેદ સહિતના તમામ નેતા સામેલ હતા.
દરગાહ, મસ્ઝિદ, મદરેસાને શાંતીની અપીલ
મુસ્લિમ નેતાઓ અને ધર્મગુરૂઓ મળીને દરેક દરગાહ, મદરેસા, મસ્ઝિદમાં ગાઈડ લાઈન આપવાના છે અને મુસ્લિમ ભાઈઓ બહેનોને ચુકાદો કંઈપણ આવે તે મામલે શાંતી જાળવી રાખવા અપીલ કરવાના છે.