રામલલા આજે સવારે અસ્થાયી મંદિરમાં શિફ્ટ થયાય ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રામલલાને ટીન શેડમાથી બહાર કાઢી ફાઈબરના બનેલા અસ્થાયી મંદિરમાં વિરાજિત કરવામાં આવ્યા છે. જ્યાં સુધી મંદિર નિર્માણનું કામ પુર નહીં થાય ત્યાં સુધી રામલલા વિરાજમાન આ મંદિરમાં રહેશે.
2 એપ્રિલ સુધી તીર્થ સ્થળ પર પ્રવેશ બંધી કરી નાંખી
યોગીએ ભવ્ય મંદિરના નિર્માણ માટે 11 લાખ ભેટમાં આપ્યા
યોગી સંતો સાથે પૂજા પાઠ કરતા નજરે પડ્યા હતા
2 એપ્રિલ સુધી તીર્થ સ્થળ પર પ્રવેશ બંધી કરી નાંખી
પીએમ મોદીએ લોકડાઉનના એલાનમાં કેટલાક કલાકો પછી સીએમ યોગી આદિત્યનાથ આ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. પ્રધાનમંત્રીએ કોરોના વાયરસના ખતરાને જોતા દેશમાં બુધવારે લોકડાઉનનું એલાન કર્યુ હતુ. લગભગ 15-20 લોકો આ દરમિયાન હાજર રહ્યા હતા. અયોધ્યાના વહીવટી તંત્રએ 2 એપ્રિલ સુધી તીર્થ સ્થળ પર પ્રવેશ બંધી કરી નાંખી છે.
Ayodhya: Uttar Pradesh Chief Minister Yogi Adityanath shifted 'Ram Lalla' idol to a temporary structure near Manas Bhawan in Ram Janmabhoomi premises, till completion of the construction of Ram Temple. CM also presented a cheque of Rs 11 lakhs for the construction of the temple. pic.twitter.com/OwEX5j1oN6
યોગીએ ભવ્ય મંદિરના નિર્માણ માટે 11 લાખ ભેટમાં આપ્યા
આ દરમિયાન સીએમ યોગી આદિત્યનાથને મંદિરના નિર્માણ માટે 11 લાખનો ચેક આપ્યો હતો. આદિત્યનાથે ટ્વીટ કરી તમામ જાણકારી આપી હતી. તેમણે ટ્ટીટમાં લખ્યુ છે કે - ‘અયોધ્યા આહવાન કરે છે... ભવ્ય રામ મંદિરના નિર્માણનું પહેલુ ચરણ આજે સમ્પન્ન થયુ. મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામ ત્રિપાલથી નવા આસન પર વિરાજમાન ... માનસ ભવનની પાસે એક અસ્થાયી મંદિરમાં ‘રામલલા’ની મૂર્તિને સ્થાનાંતરિત કરવામાં આવી છે. યોગીએ ભવ્ય મંદિરના નિર્માણ માટે 11 લાખ ભેટમાં આપ્યા છે.
अयोध्या करती है आह्वान...
भव्य राम मंदिर के निर्माण का पहला चरण आज सम्पन्न हुआ, मर्यादा पुरुषोत्तम प्रभु श्री राम त्रिपाल से नए आसन पर विराजमान...
मानस भवन के पास एक अस्थायी ढांचे में 'रामलला' की मूर्ति को स्थानांतरित किया।
કહેવામાં આવી રહ્યું છે કે કોરોના વાયરસના ખતરાની વચ્ચે સમારોહને ટાળી શકાય છે. જો કે મુખ્યમંત્રી યોગીએ પોતે કાર્યક્રમમાં પહોંચવાનો નિર્ણય કર્યો હતો. સ્થળ પરથી મળેલી તસ્વીરોમાં મુખ્યમંત્રી યોગી સંતો સાથે પૂજા પાઠ કરતા નજરે પડ્યા હતા. આ દરમિયાન ડીઅમ અને પોલીસ વડા સહિત અન્ય અધિકારીઓ પણ ત્યા હાજર રહ્યા હતા.
લોકોડાઉનનો ભંગ કરવો દેશેને ભારે પડી શકે છે
કોરોના વાયરસના સંક્રમણને જોતા સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. તેમજ બીજા દેશોની ભૂલમાંથી બોધપાઠ લઈ સોશિયલ ડિસ્ટન્સિંગ એટલે કે પોતાના ઘરમાં બંધ રહેવા હુકમ કર્યો હતો. લોકોડાઉનનો ભંગ કરવો દેશેને ભારે પડી શકે છે.