અયોધ્યામાં દિવાળી જેવો અવસર ઉજવાઈ રહ્યો છે. આખી અયોધ્યાને પીળા રંગે રંગવામાં આવી છે અને આવતી કાલે રામમંદિરનો શિલાન્યાસ કરવામાં આવશે ત્યારે ભૂમિ પૂજન માટે ગુજરાતથી પણ આમંંત્રીત સાધુ સંતો અયોધ્યા જવા નીકળ્યા છે એટલું જ નહીં પણ
આજે ગુજરાતના સાધુ સંતો જશે અયોધ્યા
રામ મંદિર ભૂમિપૂજન કાર્યક્રમમાં ભાગ લેશે
vtv Live કવરેજ કરી રહ્યુ છે
અયોધ્યામાં રામ મંદિર નિર્માણ થવા જઇ રહ્યું છે. શિલાન્યાસનો સોનેરી અવસરને બસ હવે 2 દિવસ જ બાકી છે. ત્યારે અયોધ્યાથી VTV પર અવિરત કવરેજ તમે જોઇ શકશો..ઐતિહાસિક ક્ષણની પળેપળની ખબર તમને VTV આપતું રહશે. ભૂમિ પુજનને લઇને અયોધ્યા નગરી ઝળહળી ઉઠી છે. સરયૂ નદી ખાતે રોશની કરવામાં આવી છે. અયોધ્યાવાસીઓમાં પણ શિલાન્યાસ વિધિને લઇને અનેરો ઉત્સાહ છે.
અયોધ્યામાં રામ મંદિર બનાવવાની સદીઓથી જોવાઈ રહેલી ઘડીઓનો આખે અંત આવી ગયો છે.. અને આવતીકાલે રામ મંદિર માટે ભૂમિ પૂજન કરવામાં આવશે. PM ભૂમિ પૂજન પહેલા અયોધ્યામાં આવેલા હનુમાનગઢીમાં વિશેષ પૂજા અર્ચના કરશે. મંદિરમાં 10 મિનિટ સુધી પ્રધાનમંત્રી પૂજા અર્ચના કરશે. ત્યારે PMની મુલાકાતને પગલે સમગ્ર અયોધ્યામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સાથે જ અયોધ્યાની દુકાનોમાં એક જ વ્યક્તિને રહેવાની વ્યવસ્થા કરાઈ છે