રામલલાનું મંદીર ત્રણ ફ્લોરમાં બનાવવામાં આવશે. દરેક ફ્લોર પર 8 દરવાજાઓ અને પ્રદક્ષિણાવાળા રસ્તા પર ત્રણ નાનાં-નાનાં દરવાજા પણ બનાવાશે.
51 ઈંચનાં રામલલાની બનશે માધૂરી મૂર્તિ
હાથમાં ધનુષ અને તીરથી શોભશે રામલલા
મહારાષ્ટ્રનાં શિલ્પકારના ચિત્રને કરવામાં આવ્યું પસંદ
ઉત્તરપ્રદેશનાં અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે જેમાં સેંકડો કારીગરો અને શિલ્પકારો અથાગ પરિશ્રમ કરી મંદીર બનાવી રહ્યાં છે. આ વચ્ચે ભગવાન શ્રી રામલલાની મૂર્તિની પસંદગીનું કાર્ય થઈ ગયું છે. મહારાષ્ટ્રનાં શિલ્પકારની તરફથી બનાવવામાં આવેલા રામલલાનાં ચિત્રને ફાઈનલ કરવામાં આવ્યું છે. કમળદળ પર 51 ઈંચનાં રામલલાની મૂર્તિ બિરાજમાન થશે. રામલલાનાં હાથમાં ધનુષ અને તીર પણ રહેશે. 5 વર્ષનાં રામલલાની મૂર્તિ બનવાનું કામ ટૂંક સમયમાં થશે શરૂ. માહિતી અનુસાર 2024 સુધીમાં રામલલાની મૂર્તિ સ્થાપિત કરી દેવામાં આવશે. સમગ્ર મંદીરનું કામ આશરે 70% જેટલું પૂર્ણ થયું છે.
મૂર્તિ નિર્માણ જાણીતા શિલ્પકારોની દેખરેખ હેઠળ
જાણકારી અનુસાર એપ્રિલથી મૂર્તિનું નિર્માણકાર્ય શરૂ થશે. માહિતી અનુસાર ગર્ભગ્રુહને મકરાના માર્બલથી બનાવવામાં આવશે.ગત શનિવારે રામસેવક પુરમમાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અને મૂર્તિકારોની એક બેઠક થઈ હતી. ભગવાન રામની મૂર્તિ નિર્માણ જાણીતા શિલ્પકારોની દેખરેખ હેઠળ છે.
સિંહાસન નિર્માણમાં માર્બલ પથ્થરનો ઉપયોગ
રિપોર્ટ અનુસાર ગર્ભગ્રુહમાં ત્રણ ફ્લોર બનશે. દરેક ફ્લોર પર 8 દરવાજાઓ બનાવવામાં આવશે. તો ત્રણ મુખ્ય દરવાજાઓનું કામ હાલમાં ચાલુ છે. માહિતી અનુસાર રામલલાનાં સિંહાસનની ડિઝાઈનનું કામ હાલમાં પૂરું થયું નથી. તેના પર કામ ચાલી રહ્યું છે. સિંહાસન નિર્માણમાં પણ માર્બલ પથ્થરનો ઉપયોગ કરવામાં આવશે. માહિતી અનુસાર સિંહાસન પર સોના-ચાંદીને પણ મઢવામાં આવશે. જો કે આ વાતની કોઈએ પુષ્ટિ કરેલ નથી. મંદીરમાં ખાસ પ્રકારનું નકશીકામ થઈ રહ્યું છે. હાલમાં રામલલાની મૂર્તિનાં નિર્માણ માટે નેપાલથી શાલિગ્રામ પથ્થર મંગાવવામાં આવ્યાં હતાં. આ પથ્થરોને કાળી નદીથી નિકાળવામાં આવ્યું હતું.