શ્રીરામજન્મભૂમિ પર ભવ્ય રામમંદિર નિર્માણ માટે મકરસંક્રાતિથી ચાલી રહેલા નિધિ સમર્પણ અભિયાનનું શનિવારે સમાપન થઇ ગયું. અભિયાનમાં અત્યાર સુધીમાં 2100 કરોડ દાન આવ્યું છે. હાલ 1500 કરોડ રૂપિયાના ખર્ચનું અનુમાન છે.
ઘરે ઘરે જઇને નિધિ સમર્પણ માંગવાનું અભિયાન સમાપ્ત
અભિયાનમાં અત્યાર સુધી મળેલા 2100 કરોડ
હાલ 1500 કરોડ રૂપિયાના ખર્ચનું અનુમાન
નિધિ સમર્પણ અભિયાનમાં દેશના દરેક વર્ગના લોકોએ રામમંદિર માટે દિલ ખોલીને દાન આપ્યું છે. અભિયાનમાં અત્યાર સુધીમાં મળેલા 2100 કરોડ રૂપિયા એકત્ર થયા છે. હવે શ્રીરામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ વિદેશોમાં પણ રામમંદિર માટે નિધિ સમર્પણ અભિયાન ચલાવવાની યોજના બનાવી રહ્યું છે. આનો નિર્ણય ટ્રસ્ટની આગામી બેઠકમાં લેવામાં આવશે.
શ્રીરામજન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ખજાનચી ગોવિંદદેવ ગિરિએ જણાવ્યું કે, રામમંદિર નિર્માણ માટે ચાલી રહેલા નિધિ સમર્પણ અભિયાનનું સમાપન મહા પૂર્ણિમાં 27 ફેબ્રુઆરીએ થઇ ગયું છે. ખજાનચી ગોવિંદદેવ ગિરિએ જણાવ્યું કે, પર્વથી પશ્ચિમ સુધી, ઉત્તરથી દક્ષિણ સુધી દરેક વર્ગના લોકોએ રામ મંદિર નિર્માણ માટે દિલ ખોલીને સમર્પણ કરી દીધું છે.
ત્યાં સુધી કે મોટી સંખ્યામાં દેશના મુસ્લિમ સમાજના લોકોએ પણ રામ મંદિર નિર્માણ માટે પોતાનો સહયોગ આપ્યો. તેમણે કહ્યું કે, વિદેશમાં રહેતા રામભક્તોનું ઘણુ દબાણ છે કે તેમના માટે પણ કંઇક આ પ્રકારની યોજના બનાવવામાં આવે. તેવામાં વિદેશી રામભક્ત પણ રામમંદિર માટે પોતાનો સહયોગ આપી શકે તેને લઇને વિચાર-વિમર્શ ચાલી રહ્યો છે. ટ્રસ્ટની આગામી બેઠકમાં આને લઇને ચર્ચા કરવામાં આવશે. આશા છે કે, સકારાત્મક પરિણામ આવશે.
અભિયાનમાં અત્યાર સુધી મળેલા 2100 કરોડ
ખજાનચી ગોવિંદદેવ ગિરિએ જણાવ્યું કે, રામમંદિરના નિધિ સમર્પણ અભિયાનમાં અત્યાર સુધી 2100 કરોડ રૂપિયા એકઠા થઇ ચૂક્યા છે. જણાવ્યું કે, હજુ કરોડોના ચેક ક્લીયરિન્સમાં લટકેલા છે તેવામાં સંપૂર્ણ આશા છે કે હજુ કેટલાક કરોડ રૂપિયા સહયોગમાં પ્રાપ્ત થશે. જણાવાયું કે, હજુ ઘરે ઘરે જઇને નિધિ સમર્પણ માંગવાનું અભિયાન સમાપ્ત કરી દેવાયું છે. જેમની પાસે કૂપન બચ્યા છે તેમની પાસેથી પરત લેવામાં આવી રહ્યા છે.