બ્રેકિંગ ન્યુઝ
VTV / ayodhya ram mandir vrindavan wale premanand govind sharan maharaj video lord ram statue
Last Updated: 09:20 AM, 20 September 2023
ADVERTISEMENT
રાધારાણીના ભક્ત વૃંદાવન વાળા પ્રેમાનંદજી મહારાજને આજના સમયમાં કોણ નથી જાણતું. તેમનું સત્સંદ સાંભળવા લોકો દૂર દૂરથી આવે છે. ઘરનો ત્યાગ કરનાર પ્રેમાનંદ મહારાજ વૃંદાવનમાં જ નિવાસ કરે છે. તે એજ સંત છે જેમની પાસે વિરાટ કોહલી અને અનુષ્કા શક્મા જેવા ઘણા VIP આશીર્વાદ લેવા પહોંચે છે.
રાધારાણીના ભક્ત વૃંદાવન વાળા પ્રેમાનંદ મહારાજની પાસે અયોધ્યામાં બની રહેલા રામ મંદિરમાં જે પ્રભુ રામની પ્રતિમા બિરાજમાન થશે તેનું નાનું સ્વરૂપ લાવવામાં આવ્યું. પ્રતિમાની ઉપરનું કપડુ હટાવતા પ્રેમાનંદ મહારાજના સેવાદરે કહ્યું, "મહારાજજી અયોધ્યામાં જે રામ મંદિર બની રહ્યું છે. તેમાં આ મૂર્તિ ફાઈનલ થઈ છે. એવી જ 4 ફૂટની પ્રતિમા બિરાજમાન થશે."
ADVERTISEMENT
મૂર્તિ જોયા બાદ પ્રેમાનંદ મહારાજ પુછે છે કે ધનુષ પણ હશે? તેના પર એક સેવાદારે કહ્યું, હા આવશે પરંતુ તે રમકડાના રૂપમાં આવશે સોના-ચાંદીના. મૂર્તિમાં તૂણીર એટલે કે બાણ રાખવાની લાંબી ટોકરીને જોઈને પ્રેમાનંદ મહારાજ કહે છે. "તૂણીર છે ને. જેમ કે બાળ રૂપમાં પણ જો તૂણીર છે તો સારંગ ધનુષ પણ હોવું જોઈએ."
"આપણા હૃદયમાં જે આપણને પ્રેરિત કરી રહ્યું છે તે બાળ સ્વરૂપ જ છે. જો તૂણીર નથી તો ચાવશે પરંતુ તૂણીર છે તો સારંગ ધનુષ પાસે રાખો અથવા તો ખભા પર આપવામાં આવે. પરંતુ હોવું જરૂરી છે."
બાળપણમાં પણ ચારે ભાઈ જો રમતા પણ હોય તો ધનુષ સાથે હોય છે. આ તેમનું સ્વરૂપ છે કે તૂણીર અને સારંગ ધનુષ હોય. ભગવાન વનવાસ પર હોય કે ક્યાંક બીજે. જો તૂણીર ન હોય તો માની લો કે પ્રભુનુ બાળ રૂપ છે. પરંતુ જો તૂણીર છે તો સારંગ ધનુષ પણ જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.