અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે ટ્રસ્ટનું ગઠન થઇ ગયું છે. પીએમ નરેન્દ્ર મોદીએ બુધવારે સંસદમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનું એલાન કર્યું હતું. હવે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રની પહેલી બેઠક 19 ફેબ્રુઆરીએ દિલ્હીમાં બોલાવામાં આવી છે. આ બેઠકમાં નવા સભ્યોને ચૂંટવામાં આવશે. સૂત્રોનો દાવો છે કે આ બેઠકમાં રામ મંદિર નિર્માણ માટે તારીખોનું એલાન કરવામાં આવી શકે છે.
અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે ટ્રસ્ટનું ગઠન થયું
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રની પહેલી બેઠક દિલ્હીમાં યોજાશે
આ બેઠકમાં નવા સભ્યોને ચૂંટવામાં આવશે
નોંધનીય છે કે, પીએમ નરેન્દ્ર મોદીએ બુધવારે લોકસભાને જાણકારી આપી કે, કેબિનેટે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટ ગઠિત કરવાનો પ્રસ્તાવ પાસ કરાયો છે. તેઓએ જણાવ્યું કે આ ટ્રસ્ટ અયોધ્યામાં ભગવાન શ્રીરામના જન્મસ્થળ પર ભવ્ય અને દિવ્ય શ્રીરામ મંદિરના નિર્માણ અને તેની સાથે જોડાયેલા વિષયો પર નિર્ણય લેવા માટે પૂર્ણ રૂપે સ્વતંત્ર હશે.
ગત વર્ષે સુપ્રીમ કોર્ટે 9 નવેમ્બરે રામ મંદિર મુદ્દા પર ઐતિહાસિક નિર્ણય દરમિયાન સરકારને ટ્રસ્ટ ગઠિત કરવાનો નિર્દેશ આપ્યો હતો.
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં 15 સદસ્ય હશે. તેમા 9 સ્થાયિ અને 6 નામિત સદસ્ય હશે. ગઠન બાદ ટ્રસ્ટને કેન્દ્ર સરકાર તરફથી 1 રૂપિયાનું રોકડ દાન પણ મળ્યું. આ ટ્રસ્ટને મળેલું પહેલુ દાન બતાવાઇ રહ્યું છે. આ 1 રૂપિયાનું રોકડ દાન એટલા માટે પણ આપવામાં આવ્યું જેથી અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણની દિશામાં કામ શરૂ કરી શકાય.
કેન્દ્ર સરકારની તરફથી આ દાન ટ્રસ્ટને ગૃહ મંત્રાલયમાં અવર સચિવ ડી.મુર્મૂએ આપ્યું. નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટમાં રામલલા વિરાજમાનની પેરવી કરનાર સીનિયર એડવોકેટ કેશવન અય્યંગર પરાસરણ ટ્રસ્ટમાં હશે.