અયોધ્યામાં 5 ઓગસ્ટે રામમંદિરના ભૂમિપૂજનનું આયોજન પીએમ મોદીના હાથે થવા જઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આવતીકાલે 29 વર્ષ બાદ પીએમ મોદી તેમનું અયોધ્યા આવવાનું પ્રણ પૂર્ણ કરશે. આ ખાસ અવસરને ધ્યાનમાં રાખીને અયોધ્યાને ખાસ રીતે શણગારવામાં આવી રહી છે. જ્યાં નજર કરો ત્યાં અયોધ્યામાં પીળો રંગ જોવા મળી રહ્યો છે. પીળા રંગે શહેરમાં વર્ચસ્વ જમાવી લીધું છે. પ્રશાસનનું કહેવું છે કે પીળા રંગ પાછળનું ખાસ કારણ એ છે કે મંદિરની આસપાસનું ક્ષેત્ર યલો ઝોનમાં આવે છે. આ કારણે અયોધ્યાની મુખ્ય સડકની બંને તરફ પીળો રંગ જોવા મળી રહ્યો છે. સડકની કિનારોની દિવાલો પર પણ પીળો રંગ જોવા મળશે. ભૂમિપૂજન સમયે ખાસ ફૂલો, દીવા અને ધ્વજ સાથે અલગ જ હશે રામ મંદિરનો માહોલ.
પીળા રંગથી સજી છે સંપૂર્ણ અયોધ્યા
આવી છે આવતીકાલના ભૂમિપૂજનની તૈયારીઓ
જુઓ કેવી રીતે કરાઈ છે અયોધ્યાની સજાવટ
હિંદુ પરંપરાની વાત કરીએ તો પીળો રંગ ધાર્મિક અનુષ્ઠાન, પૂજા પાઠ અને વિદ્યા માટે શુભ માનવામાં આવે છે. ઘરની બહારની દિવાલો પીળી હોય તે સારું માનવામાં આવે છે. રામલલાના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસનું કહેવું છે કે પીળો રંગ ભગવાન વિષ્ણુનો પ્રિય છે અને અયોધ્યાને પીળા રંગથી રંગવી શહેરને ઈશ્વરના રંગમાં રંગવા સમાન છે.
51000 लड्डू रामजन्मभूमि तीर्थ क्षेत्र ट्रस्ट, 74000 लड्डू कुछ प्रमुख लोगों को और इनसे जो बचेंगे उन्हें जानकी धाम सीतामढ़ी में भेजा जाएगा। हनुमान मंदिर के भक्तों और जहां-जहां राम जी के चरण पड़े थे वहां ये लड्डू बांटे जाएंगे: पटना महावीर मंदिर ट्रस्ट प्रमुख आचार्य किशोर कुणाल https://t.co/56DAZv2IS1pic.twitter.com/HvWrkK3qSy
હિંદુ ધર્મની માન્યતાઓ અનુસાર પીળો રંગ ભગવાન વિષ્ણુની સાથે જોડાયેલો ગણાય છે. આ માન્યતામાં ભગવાન વિષ્ણુના સાતમા સ્થાને અવતાર ગણાતા ભગવાન રામને મર્યાદા પુરુષોત્તમથી ઓળખવામાં આવે છે. વિષ્ણુએ સમસ્ત લોકને મર્યાદામાં રહેવાનો સંદેશ આપ્યો છે. હિંદુ ધર્મમાં પીળા રંગના વસ્ત્રોનો ઉપયોગ મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. માંગલિક પ્રસંગોમાં પણ પીળી હળદરનો ઉપયોગ કરાય છે. આ રંગ મનને શાંત રાખે છે અને નકારાત્મક વિચારોને પણ દૂર કરે છે.
ભગવાન વિષ્ણુને પીતાંબર કહેવાય છે. આ કારણે અયોધ્યાને પીળા રંગથી સજાવવામાં આવી છે. માનવામાં આવે છે કે પીળો રંગ ધારણ કરવાથી તમારો ગુરુ ગ્રહ મજબૂત રહે છે. મંદિરના મુખ્ય પૂજારીએ કહ્યું છે કે આ પીળો નહીં પણ ગેરૂઆ કલર છે. તે પણ પીળાનો જ પ્રકાર છે. મહંતનું કહેવું છે કે ભગવાનના વસ્ત્રો તો બદલાતા રહે છે અને તેમાં રંગ પણ બદલાય છે પરંતુ પીળા રંગનું એક વસ્ત્ર હંમેશા ભગવાન રામના ગળામાં કાયમ રહે છે.
ભારતભરમાંથી શ્રીરામ લખેલી ઈંટો મંગાવાઈ
મહત્વનું છે કે આંદોલન સમયથી અયોધ્યામાં અહીં ભારતભરમાંથી અલગ અલગ ગામમાંથી શ્રીરામ લખેલી ઈંટો અહીં મંગાવવામાં આવી હતી. ગુજરાતમાંથી પણ લગભગ 12000 જેટલા ગામડાઓમાંથી ઈંટો મંગાવાઈ હોવાની વાત છે. રામ મંદિરના નિર્માણમાં ઉપયોગમાં લઈને દેશના એક એક ગામનું યોગદાન રહે તેના પ્રતિકરૂપે આ ઈંટોને ઉપયોગમાં લેવાશે.
देश के लगभग 2000 पावन तीर्थस्थलों की पवित्र मिट्टी और लगभग 100 पवित्र नदियों का पावन जल श्रीरामभक्तों द्वारा भूमि पूजन के निमित्त भेजा गया है :राम जन्मभूमि तीर्थ क्षेत्र ट्रस्ट #RamTemple
PM મોદી જે રસ્તાથી પસાર થશે તે સડકની બંને બાજુએ 5100 ધ્વજ લગાવાશે.
ખાસ પ્રકારના રામલલાના બાળપણ સાથેના પ્રાસંગિક પેઈન્ટિંગ્સથી સજી છે અયોધ્યાની દિવાલો. સાકેત વિદ્યાલયથી નવા ઘાટ સુધી આ પેઈન્ટિંગ કરાયા છે.
3 લાખ દીવાથી દીવાળીથી પણ વધારે ચમકશે અયોધ્યા. 1008 વિશેષ દીવા પ્રગટાવાશે.
108 જગ્યાઓએ થશે સુંદરકાંડના પાઠ.
5100 ધ્વજ લગાવવામાં આવશે.
મંદિરથી સરયૂ ઘાટ સુધી વિશેષ સજાવટ કરાઈ છે.
અયોધ્યાના દરેક મંદિરો અને શિવાલયોમાં કળશ સજાવાશે અને તેને શણગારાયા છે.
150 ક્વિન્ટલ ફૂલોથી સજાવાશે. આ સાથે રાજસ્થાનથી ખાસ પથ્થર પણ મંગાવવામાં આવ્યા છે.
ભૂમિપૂજનનું લાઈવ ટેલિકાસ્ટ પણ કરાશે. આ માટે મંદિરથી 2-4 કીમીના વિસ્તારોમાં ટીવી લગાવાયા છે.
આવતીકાલે અયોધ્યાના દરેક ઘરમાં 4 લાડુનું એક પેકેટ પહોંચશે. કુલ 14 લાખ લાડુ બનાવવામાં આવ્યા છે. તેને સાડા ત્રણ લાખ પેકેટમાં ભરવામાં આવ્યા છે.
આવતીકાલે પીએમ મોદી અહીં 32 સેકંડના શુભ મૂહૂર્તમાં શિલાન્યાસ કરશે.
મંદિરના ભૂમિપૂજનને લઈને યૂપી સરકારે ખાસ ગાઈડલાઈન તૈયાર કરી છે. જેના આધારે મંદિરની આસપાસના 300 ઘરના લોકો ઘરના ઉંબરા સુધી જ સીમિત રહેશે.
175 મહેમાનો આવશે. 135 સાધુ સંતો સિવાય અન્ય અતિથિઓ હશે.
કાર્યક્રમમાં મુખ્ય મંચ પર પીએમ મોદી, રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત, ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસની સાથે રાજ્યપાલ આનંદીબેન અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાજર રહેશે.
મંદિર નિર્માણ સમયે રામલલાને લીલા રંગના ખાસ પોશાક પહેરાવાશે. તે સમૃદ્ધિનું પ્રતીક છે અને સાથે બુધવારનો રંગ પણ લીલો હોય છે. આ કારણે નવ રત્નજડિત મખમલનો પોશાક લલાને ધરાવાશે.
100 કરોડના ખર્ચે બનનારા રામ મંદિરને માટે ભક્ત ટ્રસ્ટને દાન મોકલી રહ્યા છે. અત્યારસુધી દાનની મદદથી લગભગ 18 કરોડ રૂપિયા મળ્યા છે.
રામલલાને ચાંદીની ઈંટ ભેટ કરવાની જાહેરાત કરાઈ છે. ટ્રસ્ટ ઈંટની ગણતરી કરી રહ્યું છે જે રેકોર્ડમાં છે. અત્યારસુધી ક્વિન્ટલથી પણ વધારે ચાંદીની શિલાઓ આવી છે. લગભગ 500થી વધારે કળશ કાર્યાલય પહોંચ્યા છે. તેનાથી એક આખો રૂમ ભરાઈ ચૂક્યો છે.
મંદિરને ડિઝાઈન કરનારા ગુજરાતના સોમપુરા અને તેમના પરિવારની. તેમનો પરિવાર 15 પેઢીથી મંદિર ડિઝાઈન કરી રહ્યો છે અને અત્યાર સુધીમાં પરિવારે 131 મંદિરો ડિઝાઈન કર્યા છે.
મંદિરમાં 318 સ્તંભ હશે. નવી ડિઝાઈનની રીતે મંદિરની પહોળાઈ 235 ફીટ અને લંબાઈ 360 ફીટ હશે.ઉંચાઈ 161 ફીટ રહેશે. મંદિરના ગર્ભગૃહમાં પહેલાં 3 શિખર સ્થાન રહેશે. પહેલાં ભજન કીર્તનનું સ્થાન, બીજામાં ધ્યાન અને ત્રીજામાં રામલલાના દર્શનની વ્યવસ્થા હશે.
મંદિર નિર્માણ માટે ખાસ પત્થર મંગાવાયા છે. ઈતિહાસને સાચવીને રાખનારી ટાઈમ કેપ્સ્યૂલ પણ મંદિરને લઈને ચર્ચામાં છે.
સીમા પર ખાસ સુરક્ષા કરાઈ છે. અન્ય જગ્યાઓએથી આવનારા લોકો પર રોક લગાવાઈ છે.