અયોધ્યા રામ મંદિરના શિલાન્યાસનો દિવસ જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ ભક્તોનો ઉત્સાહ વધી રહ્યો છે ત્યારે અયોધ્યામાં દિવાળી જેવો માહોલ છે અને ભગવા રંગથી શહેરને રંગવામાં આવી રહ્યુ છે. એવામાં પ્રસાદ માટે ચોખ્ખા ઘીની મગસની લાડુડીઓ બનાવવાનું કામ પણ યુદ્ધના ધોરણે આરંભાઈ ગયું છે.
જેમ જેમ રામ મંદિર નિર્માણના ભૂમિ પૂજનની તારીખ નજીક આવી રહી છે તેમ તમામ તૈયારીઓ જોર પકડી રહી છે. અયોધ્યાની દિવાસોને કેસરી રંગથી રંગવામાં આવી રહી છે ત્યારે પ્રસાદ માટે શુદ્ધ ઘીમાં મગસની લાડુડી બનાવાઈ રહી છે. કુલ 1.11 લાખ લાડુ બનાવવામાં આવશે.
આ પરંપરાગત પ્રસાદનો સ્વાદ અદ્દલ સ્વામિનારાયણની લાડુડીઓ જેવા રાખવામાં આવ્યો છે. કેમ કે, આ પ્રસાદ યુપી બાજુ બેસન કે લડ્ડુના નામથી પ્રખ્યાત છે.
ભારતને આંગણે જાણે હરખના તૈડા આવ્યાં છે ત્યારે રામજન્મભૂમી પૂજન કાર્યક્રમમાં ગુજરાતમાંથી પણ જુદા જુદા 7 ધર્મ ગુરૂઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંત અને વિશ્વહિંદુ પરિષદના મહારાજને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.
નોંધપાત્ર વાત એ છે કે અયોધ્યામાં રામ મંદિરનો ભૂમિપૂજન કાર્યક્રમ 5મા ઓગસ્ટે થશે. આ કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, લાલકૃષ્ણ અડવાણી, ઉમા ભારતી સહિત 200 જેટલા મહેમાનો ભાગ લેશે. મહેમાનોની સૂચિ પીએમઓને મોકલવામાં આવી હતી. પીએમઓને સૂચિ મોકલ્યા પછી લોકોને આમંત્રણ અપાયું છે.
ગુજરાતના 912 પવિત્ર તીર્થની માટી અને જળ અયોધ્યા મોકલાશે
અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણની તડામાર તૈયારી ચાલી રહી છે. 5 ઓગસ્ટે PM મોદી મંદિરનું ભૂમિ પૂજન કરશે. ગુજરાતથી પવિત્ર નદીનું જળ-માટી મોકલવા પૂજા કરવામાં આવી છે. અમદાવાદ VHP કાર્યાલયે માટી અને જળની પૂજા કરાઇ છે. દેશભરના સાધુ-સંતો દ્વારા જળ-માટી મોકલવાની યોજના છે. ગુજરાતમાંથી એકત્ર કરેલી માટી-જળનું પૂજન કરવામાં આવી રહ્યું છે. પૂજન કરીને અયોધ્યા માટે પ્રસ્થાન કરાવવામાં આવશે. ગુજરાતના 912 પવિત્ર તીર્થની માટી અને જળ અયોધ્યા મોકલાશે.
ગોધરા ખાતે કાર સેવકોનું સન્માન કરી 3 નદીનું પાણી અયોધ્યા મોકલાયું
પંચમહાલથી રામ મંદિર નિર્માણ માટે મંદિરોમાંથી માટી મોકલાઇ છે. 3 નદીના પાણી પણ મોકલવામાં આવ્યા છે. અયોધ્યા ખાતે રામ મંદિરના નિર્માણ કાર્ય ખાતમુહૂર્તમાં મોકલાયા છે. પંચમહાલ, દાહોદ અને મહિસાગર જિલ્લામાંથી મોકલાયા છે. વિશ્વ હિન્દૂ પરિષદ અને બજરંગદળ દ્વારા એકત્ર કરાયું છે. ગોધરા ખાતે કાર સેવકોનું સન્માન કરી અયોધ્યા મોકલાયું છે. સન્માન કાર્યક્રમમાં ત્રણેય જિલ્લાના કારસેવકો ઉપસ્થિત રહ્યાં હતા.
આગામી 5 ઓગસ્ટ PM નરેન્દ્ર મોદી રામ મંદિરનું ભૂમિ પૂજન કરશે. મંદિર નિર્માણ કરનારા આર્કિટેક્ટ આશિષ સોમપુરાની VTV સાથે EXCLUSIVE વાતચીત કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતુ કે, મંદિરના નિર્માણમાં માટે અગાઉની 128 ફૂટની ઉંચાઈ હતી જે વધારીને 161 ફૂટની કરાઈ છે. રામ મંદિર હવે બે નહી પરંતુ ત્રણ માળનું બનશે. રામ મંદિરની ઉંચાઈ 161 ફુટ અને પહોળાઈ 140 ફૂટની રહેશે. મંદિરનો મૂળ દેખાવ મોટાભાગનો એજ રહેશે. બે બાજુમાં અને એક આગળના ભાગે એમ કુલ 5 ગુંબજ રહેશે. રામ મંદિરની સૌથી પહેલી ડિઝાઈન 1985માં બનાવવામાં આવી હતી.
ચંદ્રકાંત સોમપુરાના પુત્ર નીખીલ સોમપુરાએ માહિતી આપી હતી
1985ની ડિઝાઈનમાં મંદિર 3 ગુંબજ વાળુ બનવાનું હતુ. રામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થવાનું છે ત્યારે મંદિરની ડીઝાઈન કરનાર સોમપુરા પરિવારના સભ્યએ મંદીરમાં કરાયેલા ફેરફાર અંગે માહીતી આપી હતી. ચંદ્રકાંત સોમપુરાના પુત્ર નીખીલ સોમપુરાએ મંદીરની ડીઝાનમાં ક્યા પરીવર્તન કરાયા તેની માહીતી આપી હતી.