5 ઓગસ્ટના રોજ રામ જન્મભૂમિ મંદિરન ભૂમિપુજનની તૈયારીઓ જોરસોરથી ચાલી રહી છે. પીએમ, સંત અને ઉદ્યોગપતિઓ સહિત 200 લોકો આ પ્રસંગે મેહમાનગતિ કરશે. ત્યારે અયોધ્યા યાત્રા દરમિયાન પીએમ મોદીને એક સુંદર મંત્રમૃગ્ધ કરનારી ભેટ આપવામાં આવશે. જેના માટેની તૈયારીઓ ચાલી રહી છે. જેને સ્પેશિયલી કર્ણાટકમાં તૈયાર કરવામાં આવી રહી છે.
મોદીને લાકડાની બનેલી દુર્લભ દોઢ ફુટની કોદંડ રામ અને એક ફુટના લવ-કુશની પ્રતિમાં ભેટમાં
કર્ણાટકના પ્રેસિડન્ટ એવોર્ડથી સન્માનિત શિલ્પકાર રામમૂર્તિએ તૈયાર કરી
કર્ણાટકની વિશેષ ટીકવુડનો ઉપયોગ કરવામાં આવ્યો છે
અયોધ્યા યાત્રા દરમિયાન પીએમ મોદીને લાકડાની બનેલી દુર્લભ દોઢ ફુટની કોદંડ(ધનુષ) રામ અને એક ફુટના લવ-કુશની પ્રતિમાં ભેટમાં આપવામાં આવશે. પીએમને આપવામાં આવનારી પ્રતિમા અયોધ્યા શોધ સંસ્થાન તરફથી કર્ણાટકમાં તૈયાર કરવામાં આવશે. જોકે તેનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. 5 ઓગસ્ટના રામ જન્મભૂમિ પૂજન સમયે તે પીએમને ઉત્તર પ્રદેશ સરકારના સંસ્કૃતિ વિભાગ તરફથી ભેટ તરીકે આપવામા આવશે.
આ મૂર્તિઓને ખાસ કર્ણાટકના પ્રેસિડન્ટ એવોર્ડથી સન્માનિત શિલ્પકાર રામમૂર્તિએ તૈયાર કરી છે. આ બાદ કર્ણાટકની વિશેષ ટીકવુડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હકિકતમાં શ્રીરામના ધનુષને કોદંડ રુપે ઓળખવામાં આવે છે. જ્યારે તે સીતાની શોધમાં નિકળ્યા ત્યારે તેમના હાથમાં કોદંડ હતુ.
ભગવાને પત્નીની રક્ષા માટે કોદંડ ઉઠાવ્યું હતુ. એ માટે દ. ભારતમાં રામને સ્ત્રી રક્ષક તરીકે માનવામાં આવે છે અને રામના કોદંડ રુપની પૂજા કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે ભૂમિ પૂજન કાર્યક્રમમાં 200 મહેમાનોને આમંત્રણ આપવામાં આવશે. 200 મહેમાનોને લીસ્ટને PMOની મંજૂરી મળી ગઈ છે. ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ પણ ઉપસ્થિત રહેશે. RSS સુપ્રિમો મોહન ભાગવત પણ કાર્યક્રમમાં ભાગ લેશે. ભાગવત સાથે 50 સાધુ સંતોની હાજરી પ્રસંગને શોભાવશે. એલ.કે.અડવાણી, મુરલી મનોહર જોષી પણ હાજર રહેશે. તેમજ આ પ્રસંગે ઉદ્યોગપતિ રતન ટાટા, મુકેશ અંબાણી, ગૌતમ અદાણીને પણ આમંત્રણ આપવામાં આવશે. શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટે મહેમાનોને 50-50ની શ્રેણીમાં વિભાજીત કર્યા. 50 મોટા સાધુ સંતો, 50 ઉદ્યોગપતિઓ અને અધિકારીઓને આમંત્રણ મોકલવામાં આવશે. રામ મંદિર સાથે જોડાયેલા 50 નેતાઓને પણ આમંત્રણ મોકલવામાં આવશે. આ પ્રસંગે 200 જેટલા મહેમાનોની યાદી તૈયાર છે જેમને નિમંત્રણ મોકલી દેવામાં આવશે.
રામલલાના પરિધાન લીલા રંગથી તૈયાર થઈ રહ્યા છે
અયોધ્યામાં તૈયારીઓને લઈને મળતી માહિતી અનુસાર અનેક આયોજન કરાશે. આ સાથે રામ લલાને પણ વિશેષ રીતે શણગાર કરાશે. તેમના પરિધાન લીલા રંગથી તૈયાર થશે. રામ પરિવારને લીલા વસ્ત્ર, તેમના પડદા, ચાદર, તકિયા, રજાઈ બધું જ લીલા રંગનું હશે. કેમકે 5 ઓગસ્ટે બુધવાર છે અને બુધવારનો રંગ લીલો માનવામાં આવે છે. અયોધ્યામાં પણ વિકાસ કાર્યનો વેગ વધારી દેવાયો છે.