કોઈ ભક્ત અયોધ્યામાં રામલલાની આરતી પોતાના નામે કરાવવા ઈચ્છે છે અથવા તો ઈચ્છાનુસાર ભોગ ચઢાવે છે તો એક દિવસ પહેલાં જ અધિકારી અને ટ્રસ્ટને તેની સૂચના આપવાની રહે છે. રામલલાના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસના આધારે કોઈ પણ રીતે આવનારા દિવસે ભક્તને સમય આપવામાં આવશે. ભક્તને બૈરીકેડિંગ સુધી સુરક્ષાકર્મીઓ લઈ જશે અને ત્યાંથી ગેટ ખોલીને તેને રામલલાના દર્શનને માટે જવા દેવામાં આવશે. જાણો કઈ બાબતો અહીં ફ્રીમાં લઈ શકાશે અને દર્શનનો લાભ લઈ શકાશે.
અયોધ્યામાં આ છે નવા નિયમો
આરતી, પ્રસાદ અને દર્શન માટે આવી છે વ્યવસ્થા
આ બાબતો માટે નહીં લાગે કોઈ ચાર્જ
આ છે રામલલાની પાંચ નક્કી રોજની આરતી
રામલલાની રોજ પાંચ આરતી હોય છે. સવારે થનારી મંગળા આરતી સાથે શ્રુંગાર આરતી, બપોરે ભોગ આરતી, સાંજે સંધ્યા આરતી અને રાતે શયન આરતી. તેમાંથી કોઈ ભક્ત પોતાના નામે આરતી નોંધાવી શકે છે. મંગળા આરતી બહાર ન હોઈ ભીતરમાં જ કરવામાં આવે છે. મંદિર તરફથી મળતી માહિતી અનુસાર શ્રદ્ધાળુએ પોતાના નામે આરતી કરાવવા માટે અને તેમાં સામેલ થવા માટે આચાર્યનો સંપર્ક કરવાનો રહેશે. મંદિરના બૈરીકેડિંગની પાસે જવા અને મંદિરની સામે ઊભા રહેવા માટે અધિકારીઓ અને ટ્રસ્ટ તરફથી પહેલેથી પરમિશન લેવી જરૂરી છે.
ભક્તો દ્વારા મનપસંદ ભોગ ચઢાવી શકાશે
સુરક્ષાને લઈને દરેક શ્રદ્ધાળુઓને પોલીથિન પેકમાં મિસરીનો પ્રસાદ ચઢાવવાની પરમિશન હતી. પરંતુ હવે ભક્તો પોતાની ઈચ્છા અનુસાર ભોગ પ્રસાદ ચઢાવી શકશે. આ સુવિધા અને આરાધ્યની આરતી પોતાના નામથી કરાવવાની પરમિશન મળતાં ભક્તો ખુશ છે. આચાર્ય કહે છે કે આ પરંપરા અનેક મંદિરોમાં છે અને ભક્ત પોતાના નામથી આરતી કરાવી શકે છે, ભોગ ચઢાવી શકે છે. વસ્ત્ર ભેટ કરી શકે છે અને જે પણ સંકલ્પ છે તેને અર્પિત કરી શકે છે. રામલલાના મંદિરમાં પહેલાં સુરક્ષા કારણોથી આરતી અને ભોગ શક્ય ન હતો પણ હવે અસ્થાયી મંદિર બન્યા બાદ ટ્રસ્ટની પરમિશનથી કોઈ પણ વ્યક્તિ ઈચ્છા અનુસાર આરતીનો ભોગ ચઢાવી શકે છે. પહેલા પણ ભોગ રામલલાના વસ્ત્ર સાથે ચઢાવી શકાતો હતો. તેમાં કંઈ નવું નથી.
ભક્તે જે ભેટ દાનમાં આપી છે તે રજિસ્ટરમાં નોંધાશે
મુખ્ય પૂજારીના જણાવ્યા અનુસાર કોઈ ભક્ત આરતી, ભોગ કે ભેટ કરવા ઈચ્છે છે તો તેને અધિકારીઓ અને ટ્રસ્ટને જાણ કરવાની રહેશે. તે પ્રમાણે સમય નક્કી કરાશે. મંદિરમાં રજિસ્ટરની વ્યવસ્થા છે જેમાં ભક્ત જે પણ ભેટ આપે છે તે નોંધવામાં આવશે.