રામ મંદિરના ભૂમિપૂજનની તૈયારીઓ જોર શોરથી અયોધ્યામાં ચાલી રહી છે. આ તૈયારીઓની ખાસ તકેદારી માટે આજે સીએમ યોગી આદિત્યનાથ અયોધ્યા જશે. અયોધ્યામાં રામ મંદિર માટે 5 ઓગસ્ટે ભૂમિપૂજન થશે. પીએમ મોદી પણ આ કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચશે. આજથી જ અયોધ્યામાં જોરશોરથી તૈયારીઓ શરૂ થશે. આજથી 3 દિવસ સુધી ચાલનારા આ કાર્યક્રમની શરૂઆત ગૌરી-ગણેશ પૂજાની સાથે થશે. સવારે 8 વાગ્યાથી 21 પુરોહિત ગૌરી ગણેશનું આહ્વાહન કરીને શિલાન્યાસ કાર્યક્રમની શરૂઆત કરશે.
સીએમ યોગી આજે અયોધ્યા જશે
ભૂમિપૂજનની તૈયારીઓને અપાઈ ચૂક્યો છે આખરી ઓપ
સીએમ યોગી અધિકારીઓ સાથે બેઠક કરશે
મળતી માહિતી અનુસાર આજે સીએમ યોગી અયોધ્યા પહોંચશે. અયોધ્યામાં સીએમ યોગી રામ જન્મભૂમિ પરિસરની નજીક માનસ ભવનમાં તમામ અધિકારીઓ સાથે તૈયારીઓ અંગે ચર્ચા કરશે. આ સાથે પરિસરમાં બની રહેલા પંડાલ, સડક અને અન્ય તૈયારીઓની સાથે કોવિડ પ્રોટોકોલના આધારે કરાઈ રહેલી તૈયારીઓ અંગે પણ ચર્ચા કરશે. મુખ્યમંત્રી શક્ય હશે તો અયોધ્યાની મુલાકાત પણ લેશે અને સરયૂના કિનારેની તૈયારીઓ પણ જાતે જોશે.
કડક સુરક્ષા બંદોબસ્ત
અયોધ્યામાં રામ મંદિરને લઈને 5 ઓગસ્ટે ભૂમિ પૂજન થવા જઈ રહ્યું છે. તેના માટે અયોધ્યામાં જોર શોરથી તૈયારીઓ ચાલી રહી છે. ભૂમિ પૂજન કાર્યક્રમ પહેલાં રામ નગરીને સજાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. આ ભવ્ય કાર્યક્રમમાં લગભગ 200 લોકો સામેલ થવાનો અંદાજ છે.
અયોધ્યામાં પીએમ મોદીની હાજરીને ધ્યાનમાં રાખીને પ્રશાસન તમામ પ્રોટોકોલનું પાલન કરી રહ્યું છે. પ્રાથમિકતામાં કોરોના વાયરસથી સંબંધિત પ્રોટોકોલ પણ છે, જેની પર પ્રશાસનનું ફોકસ છે. સાથે પીએમ મોદીની સુરક્ષાને લઈને તમામ એજન્સીની બેઠક પણ થઈ છે. સુરક્ષાની કડક વ્યવસ્થા લાગૂ કરવામાં આવી રહી છે.