અયોધ્યામાં રામ નિર્માણ માટે ભૂમિ પૂજન થવા જઈ રહ્યું છે. ત્યારે ધાર્મિક અનુષ્ઠાન સોમવારેથી શરુ થઈ ગયું છે. ગૌર ગણેશ પૂજનની સાથે આની શરુઆત થઈ ગઈ છે. મંગળવારે રામાર્ચા પૂજા થશે. પરંતુ ઓગસ્ટમાં પીએમ નરેન્દ્ર મોદી નિર્ધારિત શુભ મુહૂર્તમાં કાર્ય કરશે. આ મુહૂર્ત 32 સેકન્ડનું છે. જે બપોરે 12 વાગે 44 મિનિટ અને 8 સેકન્ડે છે. 12 વાગીને 44 મિનિટની વચ્ચે છે. આ મુહૂર્તની વચ્ચે પ્રધાનમંત્રી ચાંદીની ઈટથી રામ મંદિરનો શિલાન્યાસ કરશે.
બીજી તરફ કોંગ્રેસના રાજ્ય સભાના સાંસદ દિગ્વિજય સિંહે ભૂમિ પૂજનના શુભ મુહૂર્તને લઈને સવાલ ઉઠાવ્યા છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું છે કે રામ મંદિરનો કાર્યક્રમનું શુભ મુહૂર્તમા નથી થઈ રહ્યો. જેના કારણે અમિત શાહ કોરોના પોઝિટિવ આવ્યા છે. યૂપી બીજેપીના અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ પણ સંક્રમિત છે. કેબિનેટ મંત્રી કમલા રાની વરુણનું નિધન થયું છે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી અને પ્રદેશના અધ્યક્ષ પણ સંક્રમિત છે. કર્ણાટકના મુખ્યમંત્રીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. તેમણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને અપીલ કરી કે તે પીએમને આમ કરવાથી રોકે.
બીજી તરફ યોગી આદિત્યએ દિગ્વિજય સિંહને ટ્વીટ કરીને પલટવાર કરતા કહ્યું કે કોંગ્રેસે પોતાનું જોવું જોઈએ. તેઓ નથી ઈચ્છતા કે તે જગ્યાએ શીલાન્યાસ થાય જ્યાં રામ પૈદા થયા હતા. તે આ વિવાદની સંપત્તિ નથી ઈચ્છતા. કોંગ્રેસ હંમેશાથી જાતિ, ધર્મ તથા મતના આધાર પર લોકોનું વિભાજન કરતી રહી છે.
ઉલ્લેખનીય છે કે કાશીના પ્રખ્યાત જ્યોતિષાચાર્ય ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડે ભૂમિ પૂજનના મુહુર્ત સાથે પુરી કુંડળી બનાવી છે. ભાદ્ર પક્ષ અને અસ્થિર તુલા લગ્ન દોષને નષ્ટ કરવા માટે આ થોડીક સેકન્ડમાં મુહુર્ત ખાસ મહત્વ ધરાવે છે. એમ જણાવ્યું હતું.
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલ દાસ સ્વય ભૂમિપૂજન અનુષ્ઠાનની તૈયારીઓ જોઈ રહ્યા છે . તેમણે એક મીડિયા હાઉસ સાથે વાત કરતા જણાવ્યું હતું કેટ્રસ્ટના અધ્યક્ષ અને તેમના ઉત્તરાધિકારી મહંત કમલ નયન દાસે કહ્યું કે કાશીના પ્રખ્યાત વડિલ જ્યોતિષાચાર્ય તથા શ્રી વલ્લભ રામ શાલિગ્રામ સાંગ વેદ વિદ્યાલયના વ્યવસ્થાપક ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડે શ્રીરામ જન્મભૂમિના ગર્ભગૃહમાં 5 ઓગસ્ટના રોજ ભૂમિપૂજનની કુંડળી તૈયાર કરી છે.