રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે એકાઉન્ટ નંબર જાહેર કર્યો. મંદિર નિર્માણ માટેના ડોનેશન માટે નંબર જાહેર કર્યો. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર નામથી બેંક એકાઉન્ટ બનાવાયુ.
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે એકાઉન્ટ નંબર કર્યો જાહેર
મંદિર નિર્માણ માટેના ડોનેશન માટે નંબર કર્યો જાહેર
દાતાઓ બેંક એકાઉન્ટમાં જમા કરાવી શકશે ડોનેશન
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર નામથી બનાવાયુ બેંક એકાઉન્ટ
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ કાર્યનું વધુ એક પગલું આગળ વધી ગયું છે. રામ મંદિર ટ્રસ્ટનું બેન્ક એકાઉન્ટ નંબર દાતાઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. PM મોદીએ 5મી ઓગસ્ટના રોજ રામમંદિરના નિર્માણકાર્યમાં પાયાનો પથ્થર મૂકી દીધો છે.
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયાની અયોધ્યા બ્રાંચમાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનું એકાઉન્ટ છે. આ બેન્ક એકાઉન્ટ એક્ટિવ થઇ ગયું છે. SBI ના અધિકારીઓને રામ જન્મભૂમિ મંદિર નિર્માણ માટે પૈસાની ગણતરી કરી લીધી છે.
સામાન્ય જનતા પણ રામ મંદિર નિર્માણ માટે દાન કરી શકશે.
SBIમાં રામ મંદિર ટ્રસ્ટનું બેન્ક એકાઉન્ટ ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોવિંદદેવ ગિરીના નામથી સંયુક્ત રીતે ખાતું ખોલવામાં આવ્યું છે. ગુરૂવારે રામ મંદિર ટ્રસ્ટને ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા પાન નંબર પણ ઇશ્યૂ કરવામાં આવ્યો છે. હવે સામાન્ય જનતા પણ રામ મંદિર નિર્માણ માટે દાન કરી શકશે. ઇન્કમ ટેક્સ અધિનિયમમાં ટ્રસ્ટને છૂટ મળ્યા બાદ સામાન્ય જનતા રામ મંદિર માટે સહયોગ કરી શકે છે
ભૂમિપૂજનની ઘોષણા પહેલા 30 કરોડ જમા કરાયા હતા
ભૂમિપૂજનની ઘોષણા પહેલા 30 કરોડ જમા કરાયા હતા ફેબ્રુઆરીમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની રચના પછી, મંદિરના નિર્માણ માટે એસબીઆઈ સાથે ખાતું ખોલવામાં આવ્યું હતું. જો કે, આ પછી જ દેશમાં કોરોના મહામારીને કારણે લોકડાઉન લાદવામાં આવ્યું હતું. તેમ છતાં ભક્તોએ દાન રૂપે સાડા ચાર કરોડની રકમ જમા કરાવી હતી. દરમિયાન, જ્યારે રામ મંદિર ભૂમિપૂજનની તારીખ નક્કી કરવામાં આવી, ત્યારે તેમાં વધુ વધારો થયો. આ તારીખની જાહેરાત પહેલાં 30 કરોડ રૂપિયા રામલલ્લાના ખાતામાં જમા થયા હતા.