અનેક દિવસોથી રામ મંદિરના ભૂમિપૂજનને લઈને તૈયારીઓ અને ચર્ચાઓ ચાલી રહી હતી. આજે એ દિવસ આવી જ ગયો જ્યારે PM મોદીએ રામ મંદિરનો વિધિવત રીતે ખાસ મહેમાનોની સાથે શિલાન્યાસ કર્યો. દેશના આ પહેલા પીએમ હશે જેઓને આ સૌભાગ્ય પ્રાપ્ત થયું હશે. આજે દેશમાં ઈતિહાસ રચાયો છે અને દરેક દેશ વાસીઓ માટે આજે ગૌરવની ઘડી છે. શિલાન્યાસ શુભમૂહૂર્તમાં સંપન્ન થઈ ગયો છે. હવે જલ્દી જ રામ મંદિરની તૈયારીઓ પણ શરૂ થશે.
પીએમ મોદીએ રામ લલાને રામ મંદિરમાં ગુલાબના ફૂલની માળા ચડાવી છે. અહીં તેઓ શંખનાદની વચ્ચે પૂજા અર્ચના કરી રહ્યા છે. આ સાથે રામ લલાની પરિક્રમા પણ કરી છે. તેઓએ રામલલાના આર્શિવાદ પણ લીધા છે.
#WATCH अयोध्या: प्रधानमंत्री नरेंद्र मोदी ने हनुमानगढ़ी मंदिर में पूजा अर्चना की। इस दौरान उनके साथ उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ भी मौजूद रहे। pic.twitter.com/eFyNb9mBnr
PM મોદીએ માથા પર મુગુટથી સજ્જ પાઘડી સાથે હનુમાનગઢીમાં પૂજા કરી છે અને સાથે જ પૂજા બાદ પીએમ મોદીએ અહીં પરિક્રમા કરી છે. અહીંથી તેઓ રામમંદિર ભૂમિપૂજન માટે રવાના થશે. શેષનાગની પૂજા, કાચબાની પૂજા કરશે.
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ પહોંચી ચૂક્યા છે અયોધ્યા
अयोध्या: उत्तर प्रदेश की राज्यपाल आनंदीबेन पटेल राम जन्मभूमि स्थल पहुंचीं।
भूमिपूजन समारोह में मंच पर प्रधानमंत्री नरेंद्र मोदी,आरएसएस प्रमुख मोहन भागवत, राम मंदिर ट्रस्ट के प्रमुख नृत्य गोपाल दास, उ.प्र. की राज्यपाल आनंदीबेन पटेल और मुख्यमंत्री योगी आदित्यनाथ मौजूद रहेंगे। pic.twitter.com/5BZBZpk9qn
અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું ભગવાન રામના આર્શિવાદ દેશ પર બની રહે.
भूमि पूजन के मौक़े पर पूरे देश को बधाई
भगवान राम का आशीर्वाद हम पर बना रहे। उनके आशीर्वाद से हमारे देश को भुखमरी, अशिक्षा और ग़रीबी से मुक्ति मिले और भारत दुनिया का सबसे शक्तिशाली राष्ट्र बने। आने वाले समय में भारत दुनिया को दिशा दे।
PM's visit to Ayodhya is a proud moment. We'll honour him with a headgear, a silver crown & a stole with name of Lord Ram printed. We also hope that he rings the 3.5 quintal bell and proceed towards Ram Janmabhoomi: Sri Gaddinsheen Premdas ji Maharaj, head priest of Hanuman Garhi pic.twitter.com/JG1TxsoFlg
હનુમાનગઢી મંદિરના પ્રમુખ પૂજારી પ્રેમદાસજી મહારાજ કહે છે કે પીએમ મોદીનું આવવું એ ઐતિહાસિક ક્ષણ છે. અમે તેમને સન્માનિત કરીશું અને તેમને ચાંદીનો મુગટ અને ગમછો અપાશે.
હનુમાનગઢીમાં બાબા રામદેવે કરી પૂજા
अयोध्या: योग गुरु रामदेव ने हनुमान गढ़ी मंदिर में पूजा की। रामदेव ने कहा," 5 तारीख देश की ऐतिहासिक तारीख है। आज के दिन को सदियां याद करेगी। भारत राम राज्य में प्रवेश कर रहा है।" pic.twitter.com/tcARltd2IN
સીએમ યોગી આદિત્યનાથે પણ ટ્વિટ કરીને રામભક્તોને પાઠવ્યા અભિનંદન
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે CM નિવાસસ્થાને ફટાકડા ફોડીને આ ઉત્સવની ઉજવણી કરી. જાણે કે દિવાળી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા અને ધામધૂમથી રામ મંદિર બનવાની ખુશી વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત મુખ્યમંત્રી આવાસે દિપોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તો અયોધ્યામાં પણ બે દિવસ દિવાળી જેવો માહોલ છે.. સમગ્ર અયોધ્યામાં દીપ પ્રગટાવવામાં આવી રહ્યા છે.
जासु बिरहँ सोचहु दिन राती। रटहु निरंतर गुन गन पाँती॥
रघुकुल तिलक सुजन सुखदाता। आयउ कुसल देव मुनि त्राता।।
હનુમાનગઢીમાં યોગગુરુ રામદેવે પૂજા અર્ચના કરી છે. રામદેવે કહ્યું કે ભારતમાં જે પણ સાંસ્કૃતિક અતિક્રમણ થયું છે તેનો હવે અંત થશે. મને વિશ્વાસ છે કે રામ મંદિરની સાથે રામ રાજ્ય આવશે. દેશમાં શિક્ષા- સામાજિક વ્યવસ્થામાં ન્યાય મળશે. સૌભાગ્ય છે કે દેશના પીએમ અયોધ્યા આવી રહ્યા છે. અને પોતાને હિન્દુ કહેવા પર ગૌરવ કરે છે. ધર્મને પ્રતિ નિષ્ઠા સેક્યુલેરિઝમની નિશાની છે.
इस शुभ अवसर पर मैं उन सभी संतों, नेताओं और देश-विदेश के जनमानस के प्रति कृतज्ञता व्यक्त करता हूं जिन्होंने राम जन्मभूमि आंदोलन में मूल्यवान योगदान और बलिदान दिया :लाल कृष्ण आडवाणी https://t.co/1qrUGtZOlW
ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ રામ મંદિરના ભૂમિ પૂજન પહેલા એક વીડિયો સંદેશ જાહેર કર્યો.. અડવાણીએ કહ્યું કે મારા દિલનું સ્વપ્ન આજે પૂર્ણ થવા જઈ રહ્યું છે.. આજે તમામ ભારતીયો માટે ઐતિહાસિક દિવસ છે.. અડવાણીએ કહ્યું કે ક્યારેક કોઈના જીવનમાં મહત્વપૂર્ણ સ્વપ્ન હોય છે. જેને પૂર્ણ થવામાં ઘણો સમય લાગે છે. રામ મંદિર બનવા જઈ રહ્યું છે જેનું મેં સ્વપ્ન જોયું હતું.. આજે મારા માટે અને તમામ ભારતીયો માટે ઐતિહાસિક અને ભાવનાત્મક દિવસ છે.
હનુમાનગઢીમાં સેનેટાઈઝેશનની પ્રક્રિયા શરૂ
PMના આગમન પહેલા અયોધ્યામાં સેનેટાઇઝેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. મંદિર અને મુખ્ય બજારને સેનેટાઇઝ કરવામાં આવી રહ્યા છે.
अयोध्या: हनुमान गढ़ी मंदिर में सैनिटाइजेशन का काम किया जा रहा है। पीएम मोदी #राममंदिर_भूमिपूजन समारोह में शामिल होने से पहले हनुमान गढ़ी मंदिर में पूजा करेंगे। pic.twitter.com/eqFu4Ub8DR
5 ઓગસ્ટના રોજ પીએમ મોદી રામ મંદિરનું ભૂમિ પૂજન કરશે. આ દરમિયાન પીએમ મોદી શ્રી રામ જન્મભૂમિ પરિસરમાં પારિજાતનુ વૃક્ષ રોપશે. જાણો પારિજાતના વૃક્ષનું શુ છે મહત્વ અને ખાસિયત કે તે આ ભૂમિ પુજનનો ભાગ બનવા જઈ રહ્યું છે.
તંત્રએ અયોધ્યાના તમામ એન્ટ્રી પોઈન્ટને સીલ કરી દીધા છે. કોઈ પણ વાહનને શહેરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. તમામ પોઈન્ટ પર સુરક્ષાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
अयोध्या में राममंदिर के शिलान्यास समारोह से पहले 'दीपोत्सव' के मौके पर दीपक जलाए गए। शहर को लाइटों से जगमग किया गया। #RamMandirpic.twitter.com/sSJkDeyjUJ
આજે અયોધ્યા દુલ્હનની જેમ સજી પીએમ મોદીના આગમનને ગણતરીના કલાકો બાકી આજે રામ જન્મભૂમિનો થશે શિલાન્યાસ અયોધ્યાના દરેક એન્ટ્રી પોઈન્ટ થયા સીલ તંત્રએ અયોધ્યાના તમામ એન્ટ્રી પોઈન્ટને સીલ કરી દીધા છે. કોઈ પણ વાહનને શહેરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. તમામ પોઈન્ટ પર સુરક્ષાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સમયે થશે શિલાન્યાસ 12.30 મિનિટે શિલાપટનું અનાવરણ થશે. 12.44 મિનિટે ભૂમિ પૂજન કરાશે, રામ મંદિરના શિલાપટનું અનાવરણ પીએમ મોદી કરશે. પીએમ મોદી અને આરએસએસ પ્રમુખ મોહન ભાગવત ભૂમિ પૂજનના કાર્યક્રમની શરૂઆત કરશે. આવો છે અયોધ્યાનો માહોલ અયોધ્યા સંપૂર્ણ રીતે રામમય થઈ ચૂકી છે. અહીં ભૂમિ પૂજન પહેલાં જ રામ નામ સંકીર્તન થઈ રહ્યું છે. જય શ્રી રામના નારા ગૂંજી રહ્યા છે. સામાન્ય વરસાદની પણ શરૂઆત થઈ છે. જો કે કાર્યક્રમના સ્થળે પહેલાંથી વોટરપ્રૂફ ટેન્ટ લગાવાયા છે.
अमृतसर: अयोध्या में राममंदिर के शिलान्यास समारोह से पहले, अमृतसर में 'दीपोत्सव' के मौके पर दीपक जलाए गए। लोगों ने इस मौके पर पटाखे जलाए और मिठाई भी बांटी। #RamMandirpic.twitter.com/I1KYxBHwi2
આવો છે અયોધ્યાનો માહોલ
અયોધ્યા સંપૂર્ણ રીતે રામમય થઈ ચૂકી છે. અહીં ભૂમિ પૂજન પહેલાં જ રામ નામ સંકીર્તન થઈ રહ્યું છે. જય શ્રી રામના નારા ગૂંજી રહ્યા છે. સામાન્ય વરસાદની પણ શરૂઆત થઈ છે. જો કે કાર્યક્રમના સ્થળે પહેલાંથી વોટરપ્રૂફ ટેન્ટ લગાવાયા છે.