અયોધ્યામાં આજે ઇતિહાસ રચાયો છે. વર્ષો સુધી કોર્ટમાં મામલો ચાલ્યા બાદ આજે અયોધ્યામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રામ મંદિરનું ભૂમિપૂજન કર્યું છે. પ્રધાનમંત્રી મોદીએ અહીં કહ્યું કે, રામ મંદિર આપણી સંસ્કૃતિનું આધુનિક પ્રતીક બનશે. પ્રધાનમંત્રી મોદીએ અયોધ્યા પહોંચી હનુમાનગઢીમાં પૂજા કરી, જ્યારબાદ તેમણે રામ લલાના દર્શન કર્યા. ભૂમિ પૂજન દરમિયાન મોહન ભાગવત, યોગી આદિત્યાનથ, આનંદીબેન પટેલ સહિત અન્ય કેટલાક મહેમાનો સામેલ રહ્યા. આ શિલાન્યાસ વિધિ હિરાબાએ ટીવી પર નિહાળી હતી.
PM નરેન્દ્ર મોદીના હસ્તે કરાઇ શિલાન્યાસ વિધિ
હિરાબાએ ટીવી પર નિહાળી રામ જન્મભૂમિ શિલાન્યાસ વિધિ
શિલાન્યાસ વિધિ જોઇને હિરાબા થયા ભાવૂક
આજે અયોધ્યામાં પ્રધાનમંત્રી મોદીના હસ્તે રામમંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. રામમંદિરના ભૂમિપૂજનને લઇને સમગ્ર દેશમાં ઉત્સવનો માહોલ છે. ત્યારે રામમંદિરમાં પ્રધાનમંત્રી શિલાન્યાસ, દર્શન, પૂજા કરી રહ્યા હતા. ત્યારે આ શિલાન્યાસ વિધિની દરેક ક્ષણના સાક્ષી પ્રધાનમંત્રીના માતા હિરાબા બન્યાં છે. હિરાબાએ ટીવી પર રામ જન્મભૂમિની શિલાન્યાસ વિધિ નિહાળી હતી. આ દરમિયાન હિરાબા ભાવૂક થયા હતા. હિરાબા આ ક્ષણોને બે હાથ જોડીને જોતા રહ્યા હતા.