અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરના ભૂમિપૂજનની તૈયારીઓ પૂરી થઈ છે. આખી અયોધ્યા નગરી સજી છે. રામ મંદિર તીર્થભૂમિ ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયે મંદિરના નિર્માણમાં આનંદ વ્યક્ત કરતાં કહ્યું કે 15 ઓગસ્ટ 1947 જેવો દિવસ છે. તેઓએ પ્રસન્નતા વ્યક્ત કરતાં કહ્યું કે આજે આખો દેશ ઉત્સાહિત અને આનંદિત છે. આ મારા માટે ઈતિહાસના પરિવર્તનનો કાળ છે.
આજે અયોધ્યામાં થશે રામ મંદિર ભૂમિપૂજન
ચંપતરાયે ખુશી વ્યક્ત કરતાં આપ્યું ખાસ નિવેદન
15 ઓગસ્ટ 1947 જેવો ઐતિહાસિક દિવસઃ ચંપત રાય
તેઓએ કહ્યું છે કે આ અમારા માટે એટલા આનંદની વાત છે જેટલું કે 15 ઓગસ્ટ 1947નો દિવસ રહ્યો હશે, જેટલો કારગિલને પરત લાવવાનો આનંદ રહ્યો હશે, જેટલી ખુશી પરમાણુ પરીક્ષણ કરવા માટે ભારતને થઈ હશે, કોઈ પણ દેશ ગુલામીની નિશાનીઓ સાથે લઈને ફરતો નથી. દુનિયામાં, યૂરોપમાં પણ કોઈએ નહીં રાખી હોય. અત્યાર સુધી ભારતના રાજનેતાઓએ ગુલામીની નિશાનીને હટાવવાનું કામ કર્યું છે તે પણ રાજસત્તાના માધ્યમથી. આ પહેલો પ્રસંગ છે જ્યારે સમાજના 500 વર્ષોના નિરંતર પ્રયાસ પછી ગુલામીના ચિહ્નને હટાવવાને માટે ન્યાયપાલિકાની સહમતિ મળી છે.
કોરોનાનો કોઈ રંજ નથી, તે એક પ્રાકૃતિક મુશ્કેલી છેઃ ચંપત રાય
કોરોના મહામારીને લઈને ચંપત રાય માને છે કે અમને કોરોનાનો કોઈ રંજ નથી, એટલો જ આનંદ અને પ્રસન્નતાનો વિષય છે જેટલો હોવો જોઈએ. ભલે નાના રૂપમાં કાર્યક્રમ યોજાઈ રહ્યો હોય. પણ દેશની સુરક્ષા મહત્વની છે. આ એક પ્રાકૃતિક મુશ્કેલી છે જેનો અમને જરાય રંજ નથી. શઉભ મૂહૂર્તને લઈને તેઓએ કહ્યું કે આ મુદ્દે હું કંઈ કહેવા ઈચ્છતો નથી. 1984થી જોઉં છું જે આજે વિરોધ કરી રહ્યા છે તેઓએ પહેલાં પણ વિરોધ જ કર્યો હતો. તેઓ કોઈ કામને સારું માનતા નથી. આજે પણ તેઓ આ મૂહૂર્તની જ ચર્ચા કરી રહ્યા છે અને અમે તેનાથી પ્રભાવિત નથી.
પીએમ મોદી જે દિવસે આવે તે દિવસ શુભઃ ચંપત રાય
મૂહૂર્તને લઈને વિદ્વાનોએ તિથિ નક્કી કરી છે. હું સમજું છુ કે આ જરાય સારું નથી. અન્ય તરફ પીએમ મોદી જે દિવસે આવે તે દિવસ શુભ છે. આ મુશ્કેલીની ઘડી છે. તેઓ જે 3 કલાકનો સમય કાઢીને આવી રહ્યા છે તે મોટી વાત છે. જે દિવસે દેશના પ્રતિનિધિ આવી રહ્યા છે તે શુભ દિવસ છે. શુભ ઘડી છે.
રામ મંદિર મોડલને લઈને ચંપત રાયે કર્યો આ ઉલ્લેખ
રામ મંદિરનું નવું મોડલ પહેલાના મોડલથી કેટલું અલગ હશે. આ સિવાય જવાબમાં તેઓએ કહ્યું કેઅમે 1986-87માં આ ડ્રાઈંગ તૈયાર કરી છે. ત્યારે અમારી પાસે જગ્યા ન હતી. અમારી પાસે 1500 વર્ગ ગજ એટલે કે 1400 સ્ક્વાયર ફીટ જેટલો જ પ્લોટ હતો. અમે મોડલ બનાવ્યું એક એકરનું. અમે તો વિચાર્યું પણ ન હતું કે અમને 70 એકર જમીન મળી જશે.
પીએમ મોદી સિવાય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘસંચાલક આવી રહ્યા છે જે સંઘને આ આંદોલનના હિદુસ્તાનના સન્માનથી જોડીને આગળ વધારી રહ્યા છે. અનેક સંત પણ આવી રહ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીના કાર્યક્રમમાં સામેલ થવાથી લઈને અડવાણીએ કહ્યું કે 93 વર્ષથી પણ વધારે તેમની ઉંમર છે. સરકાર કહે છે કે 60 વર્ષથી વધારે લોકોએ કોર્ટમાં પણ ન જવું જોઈએ. જોશીની ઉંમર પણ 87ની આસપાસ હશે. તેમનો આર્શિવાદ ત્યાંથી જ મળી રહેશે.