આજે ભારતમાં એક ઐતિહાસિક ઘટના થવા જઈ રહી છે. રામમંદિર શિલાન્યાસની ઘટનાને પગલે મહામારીમાં પણ લોકો પોતાનું દુખ ભુલી પોત પોતાની રીતે આ ઐતિહાસીક ક્ષણની ઉજવણી કરવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે નર્મદાના ખેડૂતોએ પોતાની અલગ રીતથી ભગવાન શ્રી રામના મંદિરના ભૂમિ પૂજનના અવસરે પોતાની લાગણી દર્શાવી છે.
ગલગોટાના ફૂલ શ્રી રામ ચરણમાં ચઢે તેવી ખેડૂતની ઇચ્છા
અઢી એકકર ખેતરમાં 200 બાય 40 ના પ્લોટમાં જય શ્રી રામ લખ્યુ
100 બાય 40 ના પ્લોટ માં ધનુષબાણ બનાવ્યું
રામ મંદિરના નિર્માણ કાર્યની સાથે નર્મદા ખેડૂતોની અનોખી રામભક્તિ સામે આવી છે. ખેતી સાથે રામ ભક્તિ લોકો માટે યાદગાર બની રહેશે. નર્મદાના ખેડૂતની અનોખી રામ ભક્તિ સામે આવી છે. ગલગોટાની ખેતી દ્વારા લખ્યું જય શ્રી રામનું નામ લખીને પોતાની લાગણી દર્શાવી છે. આ ગલગોટાના ફૂલ શ્રી રામ ચરણમાં ચઢે તેવી ખેડૂતની ઇચ્છા છે.