ગુજરાતમાં રામમંદિર ભૂમિપૂજનનો ઉત્સવ મનાવાઈ રહ્યો છે ત્યારે અમદાવાદ, સુરત, રાજકોટ વડોદરા સહિતના શહેરો અને ગામમાંથી ઉત્સાહથી ઉજવણી કરવામાં આવી રહી છે. સીએમ રૂપાણી, ભાજપના પ્રદેશ પ્રમુખ C R પાટીલ સહિતના લોકો આ અંગે શુભકામનાઓ આપી હતી અને પોત પોતાની રીતે ઉજવણી પણ કરી હતી.
અમદાવાદ, સુરતમાં ઉજવણી
વડોદરા, રાજકોટમાં ઉજવણી
ગુજરાત ભરમાં ઉજવણી
રામમંદિર ભૂમિપૂજન સમયે CM રૂપાણીએ સંદેશ આપ્યો હતો કે, રામ મંદિરના નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ થશે. ભારત સર્વશક્તિમાન બને તે માટે રામ પ્રભુના ચરણોમાં પ્રાર્થના છે. સૌ રામભક્તોને શુભકામનાઓ. પાંચ શતાબ્દીની તપસ્યા અને શ્રદ્વાથી ભૂમિપૂજન સાકાર થયું છે. શ્રીરામના જન્મસ્થળે રામ મંદિરનું નિર્માણ થશે.
ગુજરાતી તરીકે આપણે સૌ ગૌરવ લઇ શકીએ કે રામમંદિરના નિર્માણમાં ગુજરાતના અનેક કારસેવકો અને અનેક ગુજરાતીઓનું યોગદાન પહેલેથી રહ્યું છે. જેમને હું શત શત પ્રણામ કરું છું.
જય શ્રી રામ
जय श्री राम।#JaiShriRampic.twitter.com/diUGZv99Lm
ભાજપ પ્રદેશ અધ્યક્ષ C R Patil રામમંદિર શિલાન્યાસ નિમિત્તે સુરતમાં વરાછા ખાતે કાર્યક્રમમાં હાજરી આપી હતી અને ભગવાન રામની પૂજા અર્ચના કરી હતી.
દુનિયાની સૌથી જૂની સંસ્કૃતિ છે. રામ ભગવાન આદર્શ છે. મંદિર બને એ લોકોની ઈચ્છા હતી. એ આજે પૂર્ણ થઈ રહી છે. દેશના તમામ જાતિના લોકોએ સમર્થન આપ્યું છે.
ઝડપથી મંદિરનું નિર્માણ થશે. કાર સેવામાં જોડાયેલા લોકોએ શાહિદી વહોરી છે. સુપ્રીમ કોર્ટના નિર્ણયને લઈ એમનો પણ આભાર. પાકિસ્તાન નક્શામાંથી દૂર થશે. હું પાકિસ્તાનની હરકતને વખોડી કાઢું છું.
પવિત્ર ક્ષણ....જેની રાહ આખું ભારત જોઇ રહ્યું હતું, એ ધન્ય ક્ષણનો સાક્ષાત્કાર આપણે સૌ કરી રહ્યાં છીએ. આ ધન્ય અને ઐતિહાસિક ક્ષણો જેમને કારણે શક્ય બની છે એ આપણાં આદરણીય વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબને વંદન 🙏🏻 pic.twitter.com/Kmm2f4xZcq
દેશમાં 500 વર્ષ બાદ શુભઘડી આવી છે. ત્યારે માત્ર અવધમાં નહી પરંતુ સમ્રગ દેશમાં દિવાળી મનાવાઇ રહી છે. રાજકોટના ત્રિકોણ બાગ ખાતે વિશ્વ હિન્દુ પરિષદના લોકો પણ એકઠા થયા હતા અને મીઠાઈનું વિતરણ કર્યું હતું. આ અવસરે સાંસદ મોહન કુંડારીયા,ભાજપ શહેર પ્રમુખ ધનસુખ ભંડેરી સહિતના વીએચપીના કાર્યકરો હાજર રહ્યો હતો. ત્રિકોણ બાગ ખાતે લોકો ફટાકડા ફોડીને મીઠાઇથી મોંમો મીઠુ કરાવવીને ખુશી વ્યક્ત કરી હતી.
અમદાવાદમાં ઉજવણી
અયોધ્યામાં રામ મંદિરના ભૂમિપૂજનને લઇ દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. રામમંદિરને લઇને અમદાવાદમાં પણ ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી છે. અમદાવાદમાં VHP દ્વારા અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો. આતશબાજી સાથે મહાઆરતી કરવામાં આવી છે. મોટી સંખ્યામાં લોકોની હાજરીમાં ઉજવણી કરવામાં આવી છે.