રામમંદિર ભૂમિપૂજનનો ભવ્ય અવસર છે. તેને લઇ સાધુસંતોમાં ખુબ ઉત્સાહ છે. અને સાધુસંતો રહી રહ્યાં છે તે જેની 500 વર્ષથી રાહ જોઇ રહ્યાં હતા તે ક્ષણ આવી ગઈ છે ત્યારે અયોધ્યા જ નહીં પરંતુ ગુજરાતમાં પણ ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાજપના ઉદયના એપી સેન્ટર સમા મહેસાણાના દુલ્હનની જેમ સજાવાયુ છે તો વડોદરામાં લાડુનો પ્રસાદ વહેંચી ખુશીઓ મનાવાઈ રહી છે. આવો જાણીએ ગુજરાતમાં ભગવાન શ્રી રામના મંદિરના શિલાન્યાસ વખતે કેવો છે માહોલ.
કડક બજારના વેપારીઓ કરશે ઉજવણી
1100 લાડુનું વિતરણ કરી ઉજવણી કરશે
લોકોને લાડુ ખવડાવી મોં મીઠુ કરી ઉજવણી કરશે
રામમંદિરના નિર્માણની આજે આધારશિલા રખાઇ રહી છે ત્યારે સમગ્ર દેશમાં હર્ષોઉલ્લાસ અને ઉત્સવનો માહોલ છે. 500 વર્ષની પ્રતિક્ષા અને પ્રાર્થના પ્રયાસો બાદ આજે એ દિવસ આવી ગયો છે, જેની કરોડો દેશવાસીઓને રાહ હતી. દેશના સાધુ સંતોએ દિવસને ઇતિહાસ રચનાર સત્યના વિજયનું પર્વ ગણાવ્યું
વડોદરામાં વહેંચાયા લાડું
આજે રામમંદિરના ભૂમિપૂજનના પાવન અવસરે દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. અવધમાં જ નહીં દેશભરમાં દિવાળી જેવા માહોલ છે. ત્યારે વડોદરા કરડ બજારના વેપારીઓએ પણ અવસરની ઉજવણી કરી રહ્યાં છે. વેપારીઓ 1100 લાડુનું વિતરણ કરીને ઉત્સવ મનાવશે. લોકોનું લાડુ ખવડાવી મોં મીઠુ કરીને મંદિર નિર્માણની ખુશીને આ રીતે વ્યક્ત કરશે.
ગુજરાતના આ સંતો સરયૂ નદીના દિપોત્સવમાં સહભાગી
અયોધ્યામાં રામ મંદિરનો શિલાન્યાસ થવા જઇ રહ્યો છે. ત્યારે ગુજરાતના સાધુ સંતો અયોધ્યા પહોંચ્યા છે. રામ જન્મભૂમિ કાર્યક્રમના ભવ્ય કાર્યક્રમમાં આ સંતો હાજર થયા છે. જેમાં અવિચલ દાસજી, પરમાત્માનંદજી, કૃષ્ણમનીજી મહારાજ અયોધ્યા પહોચ્યા છે. તેમજ શંભુપ્રસાદ ટુંડીયા, મહંત સ્વામીજી મહારાજ પહોચ્યા અયોધ્યા છે. અને આ ઉપરાંત જોઇએ તો માધવપ્રિયદાસજી, અખિલેશ્વરદાસજી પણ અયોધ્યા પહોંચ્યા છે. ગુજરાતના આ સંતો સરયૂ નદીના દિપોત્સવમાં સહભાગી થયા છે.
રામમંદિરના નિર્માણની ખુશીમાં આ રોશની કરવામાં આવી
મહેસાણા જિલ્લાનું ભાજપ કાર્યાલય રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. રામમંદિર નિર્માણના ભૂમિ પૂજનને લઈ રોશની શણગારવામાં આવી છે. ભાજપનો ઉદય મહેસાણાથી શરૂ થયો હતો. દેશમાં પ્રથમ 2 બેઠકોમાં મહેસાણા લોકસભા બેઠક ભાજપ જીત્યું હતું. રામ મંદિરની કાર સેવામાં પણ મહેસાણા જિલ્લાનો ફાળો વિશેષ છે. આથી આ ભાજપ કાર્યાલયે દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. રામમંદિરના નિર્માણની ખુશીમાં આ રોશની કરવામાં આવી છે.
કેટલા વાગ્યોનો કાર્યક્રમ
આજે રામમંદિર ભૂમિપૂજનનો ભવ્ય અવસર છે. પીએમ મોદી રામમંદિરનું ભૂમિપૂજન કરશે. પીએમ મોદી સવારે 11.30 કલાકે અયોધ્યા પહોંચશે અને 3 કલાક અયોધ્યામાં રોકાશે. અંદાજે 40 મિનિટ સુધી ભૂમિપૂજનનો કાર્યક્રમ ચાલશે. પીએમ મોદી 12 કલાક 44 મિનિટ અને 15 સેકન્ડે શિલાન્યાસ કરશે. આ દરમિયાન RSS સુપ્રિમો મોહન ભાગવત સહિત મહાનુભવો હાજર રહેશે. રામમંદિર ભૂમિપૂજનને લઇ અયોધ્યામાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઇ છે. અયોધ્યામાં પોલીસ, આરએએફ અને સીઆરપીએફના જવાન તૈનાત કરી દેવાયા છે. રામ જન્મભૂમિ ક્ષેત્રને રેડ ઝોન જાહેર કરી દેવાયો છે.